________________
દ્વતીય પરિચ્છેદ સ્વથનુમાન અભાવજ્ઞાન પ્રત્યક્ષ સિદ્ધ ને અભાવવ્યવહાયતા અનુમાનસિદ્ધ :
12. [કોઈ શંકાકારને પ્રશ્ન છે: “અનુપલબ્ધિથી જે ત્રિવિધ અભાવવ્યવહાર ફલિત થાય છે તે અનુમાનસિદ્ધ છે તેમ કહ્યું તેમાં અભાવજ્ઞાનરૂપ માનસિક વ્યવહાર પણ સમાવ્યો હાઈ ઘટાભાવનિશ્ચય પણ અનુમાનપ્રમાણથી જ નિષ્પન્ન માનવો જોઈએ, અગાઉ કા મજબ પ્રત્યક્ષ સિદ્ધ નહિ શકાકારની આ શંકાના ઉત્તરમાં કહે છે: 1 એ વાત સાચી કે [અન્ય બે અભાવવ્યવહારની જેમ] “ઘડો નથી એવું જ્ઞાન (=માનસિક વ્યવહાર) પણ અનુપલબ્ધિથી ફલિત થાય છે અને એ પણ સાચું કે એ જ્ઞાન જ અભાવનિશ્ચયરૂ૫ છે; પરંતુ [તેટલામાત્રથી એ અભાવનિશ્ચયરૂપ જ્ઞાન અનુમાનકૃત છે અને નહિ કે પ્રત્યક્ષકૃત – તેવું મંતવ્ય બરાબર નથી, ] કારણ કે કેવલ ભૂતલનું (અર્થાત્ ઘટરહિત ભૂતલનું) ગ્રહણ થવારૂપ [નિર્વિકલ્પ] પ્રત્યક્ષના વ્યાપારની પાછળ પાછળ “અહી ઘડે નથી” એવો [સવિક ૫ પ્રત્યક્ષરૂ૫] અભાવનિશ્ચય બંધાતો હોઈ તે અભાવનિશ્ચય પણ પ્રત્યક્ષ જ્ઞાનને આભારી છે અને નહિ કે કેવળ અનુમાનને].
13. किञ्च दृश्यानुपलम्भनिश्चयकरणसामर्थ्यादेव पूर्वोक्तया नीत्या प्रत्यक्षेणैवाभावो निश्चितः । केवलमदृष्टानामपि सत्त्वसंभवात्, सत्त्वशङ्कया न शक्नोत्यसत्त्वं व्यवहतुम् । अतोऽनुपलम्भोऽभाव व्यवहारयति - 'दृश्यो यतोऽनुपलब्धः, तस्मात् नास्ति' इति । अतो दृश्यानुपलम्भोऽभावज्ञान कृत प्रवर्तयति, न त्वकृत करोतीत्यभावनिश्चयोऽनुपलम्भात्प्रवृत्तोऽपि प्रत्यक्षेण कृतोऽनुपलम्भेन प्रवर्तित उक्त इत्यभावव्यवहारप्रवर्तन्यनुपलब्धिः ॥
13. વળી પ્રત્યક્ષ જ્ઞાનની અંદર દશ્ય [એવા ઘટાદિ]ની અનુપલબ્ધિને નિશ્ચય ઉત્પનન કરવાનું સામર્થ્ય હોવાને કારણે પણ, [‘પ્રત્યક્ષના સાક્ષાત્કારિત્વ વ્યાપાર પાછળ ઉભવતિ વિક૯૫ તે પ્રત્યક્ષત છે' એવા પૂવેક્ત તર્કથી પ્રત્યક્ષજ્ઞાન જ અભાવનિચય (= વિકલ્પ કરાવે છે એ પ માનવું પડશે. પરંતુ [આમ પ્રત્યક્ષથી અભાવવિકલ્પ થયાં છતાં પ્રત્યક્ષ પિતે અભાવવ્યવહાર કરાવવા સમર્થ નહિ થાય; કારણ કે ભૂતલાદિમાં]. ન દેખાનારા પદાર્થો હોવાની શક્યતા પણ રહે છે તે કારણે [ પ્રત્યક્ષજ્ઞાનથી ઘટાદિના અભાવની પ્રતીતિની ક્ષણે ઘટાદિના દસ્યત્વકે અદશ્યત્વને વિમર્શ ન થયો હોવાથી, ઘટોદિના] અસ્તિત્વની શંકા રહે છે અને તેથી (=ઘટાદિ નથી જ એમ નિશ્ચય બંધાયે ન હેવાથી) એ અભાવની (=અભાવમાંથી ફલિત થનાર) વ્યવહાર નહિ સંભવે. [આ રીતે પ્રત્યક્ષજ્ઞાને અમાવવ્યવહાર માટેની સંપૂર્ણ પ્રતીતિ જન્માવી હોતી નથી, આથી અનુપલબ્ધિ [રૂપ લિંગમાંથી પ્રભવતું અનુમાનજ્ઞાન] આ રીતે અભાવ ગ્યવહાર કરાવશે : “દશ્ય હોવા છતાં અનુપલબ્ધ છે, માટે [અડી] નથી.” આ રીતે દસ્થાનુપલબ્ધિ [રૂપી લિંગ [અગાઉ પ્રત્યક્ષથી થયેલા આભાવજ્ઞાનને પ્રવર્તક બનાવે છે અને નહિ કે જે જ્ઞાન નહતું તેને જન્માવે છે. એટલે અભાવનિશ્ચય એ અનુપલબ્ધિ [કૃત અનુમાન] થી પ્રવૃત્ત થાય છે એ ખરું પણ મૂિળ તો] અભાવનિશ્ચય પ્રત્યક્ષથી ઉત્પન્ન થયેલ હોઈ અનુપલબ્ધિથી પ્રવર્તિત થાય છે. આમ અનુપલબ્ધિ એ અભાવવ્યવહારમાં પ્રવર્તાવનારી છે. (૨૮).
ન્યા. બિ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org