SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ એમ પાંચ સુધીની, પછી છસે, સાત ઈત્યાદિ અગિયારસો સુધીની, ત્યાર બાદ બે હજાર, ત્રણ હજાર એમ દસ હજાર સુધીની, ત્યાર પછી લાખ, બે લાખ એમ દસ લાખ સુધીની (નવ લાખને બદલે નવ હજારની વાત કરાઈ છે ), પછી એક કરોડની અને ત્યાર બાદ એક કેડીકેડી સાગરોપમની સંખ્યાવાળા પદાર્થને નિર્દેશ છે. આમ ૧૩૫ સુત્તો પૂરાં થાય છે. એના પછી દ્વાદશાંગીને પરિચય આપી જીવ અને અજીવ એ બે રાશિ, દેવ, નારક, શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુમ્ય, વિરહકાલ, સંહનન અને સંસ્થાન તેમજ કુલકરનાં, ત્રણે કાળના તીર્થકરનાં, ચક્રવર્તાઓનાં, વાસુદેવોનાં, બળદેવોનાં અને પ્રતિવાસુદેવાનાં નામ એમ અનેક બાબતો અપાઈ છે મહાવીરસ્વામીને લગતી કેટલીક હકીકત સુત્ત ૭, ૧૧, ૧૪, ૩૦, ૩૬, ૪૨, ૫૩–૫૫, ૭૦, ૮૨, ૮૩, ૮૯, ૧૦, ૧૦૬, ૧૦, ૧૧૧, ૧૩૪ અને ૧૩૫માં છે. મહાવીરસ્વામીએ એક જ આસને બેસી ૫૪ મુદ્દાઓ ઉપદેશ્યા હતા અને ચાતુર્માસના પ્રારંભમાં પચાસ દિવસ તે યોગ્ય સ્થાન ન મળે તે તેઓ અન્ય સ્થળે જતા, પણુ પછીના ૭૦ દિવસ તે ઝાડ તળે પણ સ્થિર થતા, આ વાત પણ આ અંગમાં અપાઈ છે. ખગોળ સમ્બધી છૂટાછવાયા ઉલ્લેખો છે. આમ આ અંગમાં મુખ્યતયા એકથી શરૂ કરીને કેટલાક પદાર્થોની અધિકતાવાળી અને કેટલાકની અનેક અધિકતાવાળી વૃદ્ધિ વિષે નિર્દેશ છે. એના ૧૩૯ભા સુત્તમાં સમવાયને પરિચય અપાય છે. ત્યાં કહ્યું છે કે મેરુ વગેરે પર્વતના વિકસ્મ, ઉસેધ અને પરિધિનું પરિમાણ આ અંગમાં અપાયું છે (જુઓ સુ. ૯૯ ઇત્યાદિ). વિશેષમાં આ અંગમાં સ્વ સમયનું તેમજ પર સમયનું સૂચન છે. આ ઉપરાન્ત આ અંગમાં એક જ અજઝયણ છે, એક જ સુયકખંધ છે, એક જ ઉદ્દેસણુકાલ છે અને એમાં ૧,૪૪,૦૦૦ પદો છે એ ઉલ્લેખ છે. ૧૩૯મા સુત્તમાં “સમવાય” ને “સમાય” તરીકે ઉલ્લેખ છે, એટલે ૧. દશારમાં વાસુદેવે અને બળદેને સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy