SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથુ ] ઠાણુ અને સમવાય ત્મક સાધન જાણુવામાં નથી. પ્રભાવકરિતમાંના અભયદેવસૂરિપ્રબન્ધ (બ્લેા. ૧૦૪-૧૦૫)માં જણાવ્યા મુજબ શીલાંકરએ પહેલાં નવ અંગે ઉપર ટીકા રચી છે, પરન્તુ અભયદેવસૂરિ પોતે વિ.સ. ૧૧૨૦માં રચેલી ઠાણની વૃત્તિમાં કહે છે કે કાઇક કારણથી આના ઉપર કોઇ પ્રાચીન ઉન્મુદ્રણુ અર્થાત્ વિવરણ નથી. જિનવલ્લભસ્તૂર પણુ અષ્ટસતિકામાં ઠાણુ ઉપર કાઈ પૂર્વકાલીન ટીકા નથી એમ કહે છે. આ એ ઉલ્લેખે ઉપરથી તેમજ અત્યાર સુધી કાષ્ઠ પ્રાચીન વિવરણ મળ્યું નહિ હોવાથી અભયદેવસૂરિષ્કૃત વૃત્તિ જ વિવરણાત્મક સાહિત્ય તરીકે પ્રથમ સ્થાન ભોગવે છે એમ માનવા હુ લલચાઉં છું. આ વૃત્તિની વિ. સ. ૧૪૮૬માં લખાયેલી તાડપત્રીય પ્રત મળે છે, મૂળ તેમજ મેધરાજે રચેલા ગુજરાતી બાલાવબેાધ સાથે આ વૃત્તિ પ્રસિદ્ધ થઇ છે ( જુએ પૃ. ૧૬). આ૦ સમિતિએ પણુ આ વૃત્તિ તેમજ મૂળ એ ભાગમાં પ્રસિદ્ધ કરેલ છે ( જુએ પૃ. ૧૭), કુરશલનના શિષ્ય નહિઁગણુએ વિ. સ. ૧૯૫૭માં સંસ્કૃતમાં દીપિકા રચી છે. સમયસુન્દરના શિષ્ય હનન્દને તેમજ સુમતિકલ્લાલે અભયદેવસૂરિષ્કૃત વૃત્તિગત ગાથાઓ ઉપર વિ. સં. ૧૭૦૫ માં વૃત્તિ રચી છે. ભાષાન્તર્—“ સ્થાનકવાસી જૈન લાઇબ્રેરી ” તરફથી ઠાણુના ત્રીજા અન્ઝયણના પહેલા ઉદ્દેસએ સુધીનુ મૂળ ગુજરાતી ભાવાથ સાથે ઇ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થયું છે. G સમવાય સમવાય ( સમવાય )—આ ચેથું અંગ છે. એના ક્રાઇ ખાસ મેટા કે નાના વિભાગા નથી; એ તા ૧૬૦ સુત્તમાં વિભક્ત કરાયેલુ અંગ છે. એની રચના ઠાણુને મળતી આવે છે, કેમકે પહેલાં જે જે પદાર્થની સંખ્યા એકની છે તેને ઉલ્લેખ છે. એમ એકથી ૧સા સુધીની સંખ્યાવાળા પદાર્થાના નિરૂપણુ બાદ દેઢસા, ખસા, અઢીસે, ત્રણસેા, ૧. ૧૮ મા સુત્તમાં બ્રાહ્મી લિપિના અઢાર પ્રકારના અને ૩૬મામાં ઉત્તરઅયણનાં ૩૬ અઝયાને નિર્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy