SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ ] સૂયગડ મહાભૂત, પુસવ, ઈશ્વર વગેરે સમ્બન્ધી મન્તનું વર્ણન કે ખણ્ડન છે. અહિબુન્યસંહિતામાં સાંખ્યથી ભિન્ન એવાં ૩૨ તન્ત્રાનું એટલે કે દર્શનેનું વર્ણન છે. આહાહીય (થાથાત ધ્ય)–આ અઝયણનું નામ “આદાનપદથી છે અને એ રીતે આ આયારના “અવંતિ' અઝયણનું સ્મરણ કરાવે છે. ધર્મનું યથાતથ્ય સ્વરૂપ–કેટલીક સ્પષ્ટ વાત અહીં રજૂ કરાઈ છે. અધર્મી ભિક્ષુઓ સમાધિમાર્ગને સેવતા નથી. સાચા ભિક્ષુએ કુળ, પ્રજ્ઞા, તપ, ગોત્ર અને ધનને મદ ન કરવું જોઈએ તેમજ પ્રશંસાની ઇરછા ન રાખવી જોઈએ. ગથ (ગ્રન્થ )–આનું નામ પણ “આદાનપદના ઉદાહરણરૂપ છે. પરિગ્રહરૂપ ગાંઠને નાશ આવશ્યક છે. શિષ્ય ગુરુને સહવાસ ઈચ્છ, ગુરુને આદર કરે, શીખવનાર પ્રત્યે વિનય સાચવ અને ધર્મને બરાબર સમજ્યા બાદ એણે ઉપદેશ આપવાનું કાર્ય કરવું. એણે દુરામહી ન બનતાં વિભજ્યવાદને એટલે કે સ્વાદાદને અનુસરવે અર્થાત અમુક દષ્ટિએ આ આમ છે અને અમુક દષ્ટિએ આ આમ પણ છે એમ બેવડી વાણું બેલવી (જુઓ લે. ૨૨). ગોપાલદાસ પટેલે આ અજઝયણુનું શીર્ષક “જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ?” એ રાખ્યું છે. જમથ (યમકીય)–આને અર્થ “યમથી યુક્ત” એમ થાય છે. દરેક શ્લોકના કે ચરણના છેલ્લા અક્ષર એ પછીના શ્લોકના કે ચરણના આ અક્ષર બને એ પ્રમાણેની રચનાવાળું આ અજઝયણ હોવાથી આનું આ નામ રખાયું છે. એની નિજજુત્તિ(ગા. ૧૩૩)માં આને “આયાણિજજ” કહ્યું છે તે બરાબર છે, કેમકે આ શુંખલાબદ્ધ યમકથી અલંકૃત છે. આ કામસૂત્રના વિદ્યાસમુદેશ” અધિકારમાં વર્ણવેલી “અન્નકડી ”નું સ્મરણ કરાવે છે. વિશેષમાં આગમોની અપેક્ષાએ તે આ જાતના યમકનું આ આદ્ય ઉદાહરણ છે. જેમ બીજા અજઝયણનું નામ છન્દ ઉપરથી રખાયું છે તેમ આ અલંકારના નામ ઉપરથી રખાયું છે. આમ આ આગમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy