SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ] સૂયગડ મુક્તિ થાય. આ અઝયણમાં અનેક સ્થળે એવો ઉલ્લેખ છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાંમાં મનુષ્ય જેવું ચૈતન્ય છે. વરિય (વીર્ય)–પરાક્રમ સાચી ધર્મવીરતા એ આ અજઝયણને વિષય છે. અજ્ઞાનીઓના અને જ્ઞાનીઓના વીરત્વમાં ભેદ છે. એકનું વીરત્વ કર્મબંધનું કારણ છે, જ્યારે બીજાનું વીરત્વ એક્ષપ્રાપ્તિનું સાધન છે. આ અઝયણના અન્તમાં એ નિર્દેશ છે કે કીર્તિની કામનાથી કરાયેલું તપ શુદ્ધ નથી. ધમ્મ (ધર્મ)–સાચા વિવેક અને વૈરાગ્યથી વાસિત બનેલા મનુષ્ય સદ્ગુનું શરણ લેવું અને હિંસા, પરિગ્રહ વગેરેને ત્યાગ કરવો. વિશેષમાં એણે શરીરના વિરેચન, વમન, અંજન, ગબ્ધ વગેરે તમામ જાતના સંસ્કારો ત્યજી દેવા અને આહારમાં સંયમ રાખવો. આ ઉપરાન્ત એણે નિરર્થક અને અનર્થક પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવું અને બોલવામાં વિવેક રાખ. એમ અહીં ધર્મનું સ્વરૂપ સમજાવાયું છે. આ અઝયણના ૧૭મા પદ્યમાં “વેદ” નામના દૂતને ઉલ્લેખ છે. સમાહિ (સમાધિ)–મનની અત્યન્ત સ્વસ્થતા અને એકાગ્રતા કેળવવી અને સમસ્ત જગત પ્રત્યે સમભાવ રાખ એમ આ અઝયણમાં સમજાવાયું છે. - ૧. પહેલા અઝયણથી તે આ અઝયણના સોળમા પદ્ય સુધીનો ભાગ વાંચી જતાં ક્રોધાદિકને માટે જે વિશિષ્ટ પર્યાય નજરે પડ્યા તે વિષે મેં “ક્રોધાદિક કષાયોના પર્યાયો અને મે ” નામના મારા લેખમાં ઊહાપોહ ર્યો છે. આ લેખ જૈ. ઇ. પ્ર. (પુ. ૬૩, અં. ૧૧)માં છપાયે છે. ૨. આ સમ્બન્ધમાં આ અઝીણનું નીચે મુજબનું ૨૭મું પદ્ય આપણે નોંધીશું: " होलावायं सहीवायं गोयावायं च नो वए । તુમ તુમં તિ અમથું સખ્યો તેં જ વત્તy | ૨૦ | ” આની ચણિg( પત્ર ૨૨૫)માં કહ્યું છે કે “હાલા” એ “સી” શબ્દ છે. સરખી ઉમ્મરનાને બોલાવવામાં એ વપરાય છે. જેમકે “ઝા વોર રે ૪', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy