SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આગામેનું દિગ્દર્શન [ પ્રકરણ અપાઈ છે. જે ભિક્ષુ(સાધુ) સાધ્વી બનેલી સ્ત્રીને વશ થાય તેની શી દશા થાય એ અહીં વર્ણવાઈ છે. આ ઉપરાન્ત જે એ ભિક્ષુ ગૃહસ્થી સ્ત્રી સાથે બધાઈ જાય તે તેની શી વલે થાય તેનું આમાં આબેહુબ અને રમૂજી વર્ણન છે. - નરયવિભક્તિ (નરકવિભક્તિ)–પાપકર્મો કરનારાં નરકે જાય છે અને ત્યાં તેઓ પરમાધામિકાને હાથે કેવાં કેવાં દુઃખ અનુભવે છે એ હકીકત આ અજઝયણમાં સમજાવાઈ છે. વિશેષમાં આમાં “વૈતરણું" નદીનો ઉલ્લેખ છે. મહાવીરકુઇ (મહાવીરસ્તુતિ)-મહાવીરસ્વામીની સ્તુતિ એ આ અઝયણુને વિષય છે. એમાં એમની સર્વજ્ઞતા, વીતરાગતા, તપસ્વિતા અને સહનશીલતા વિષે નિર્દેશ છે. આ ઉપરાન્ત સર્વ મનુષ્યોમાં અને મુનિઓમાં જ્ઞાન, શીલ અને તપની બાબતમાં એમની ઉત્તમતા અનેક જાતની ઉપમાઓ દ્વારા સચોટ રીતે અહીં વર્ણવાઈ છે. તેમ કરતી વેળા સર્વોત્તમ યોદ્ધા તરીકે વિસણું (વિષ્યસેન) અર્થાત વાસુદેવને અને એક ક્ષત્રિય તરીકે દંતવક્કને ઉલ્લેખ છે. કસીલપરિભાસિઅ (કુશીલપરિભાષિત)-કુશીલેનું કથન એ આને શબ્દાર્થ છે. કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે અગ્નિ સળગાવ્યાથી એટલે કે યજ્ઞાદિકથી કે ધૂણું તાયા કરવાથી મોક્ષ મળે છે, પણ જો એમ હોય તે લુહાર વગેરેને તો પાકા સિદ્ધ કહેવા જોઈએ. કેટલાકનું કહેવું છે કે મીઠાનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે પણ આ વાત યુક્તિયુક્ત નથી. શીતળ જળથી એટલે કે સવારસાંજ નાહવા-વાથી મોક્ષ મળે છે એમ કેટલાક કહે છે, પણ જો એમ હોય તો જળચરોની તરત જ ૧. જુઓ સૂયગડચુણિ (પત્ર ૧૮૪) ૨. મહાભારત (સભાપર્વ, અ. ૩૨, થ્ય. ૩)માં એમનું વર્ણન છે, ને આ દંતવક્ર છે એમ ગેપાલદાસ પટેલ પૃ. ૧૧૦માં કહે છે. ચણિ (પત્ર ૧૮૫)માં તે આને દાન્તવાક્ય તરીકે નિર્દેશ છે એટલું જ નહિ પણ વાક્ય વડે શત્રુને વશ કરે તે “દાવાક્ય ” થાય છે એમ પણ ત્યાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy