SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સમજણ મેળવી જે પરાક્રમ કરે છે તેનું જ નામ બ્રહ્મચર્ય છે; કામવાસનાથી પીડાતા સંયમીએ લૂખું સૂકું ખાવું અને તે પણ એ ખાવું, આખો દિવસ ધ્યાનમાં ઊભા રહેવું અને પગે ખૂબ મુસાફરી કરવી; આત્માને અંકુશમાં રાખ; આત્મા રૂ૫, રસ, ગબ્ધ અને સ્પર્શ વિનાને છે અને એ શબ્દાતીત છે; જિનેએ જ સત્ય વસ્તુ યથાર્થપણે નિઃશંકપણે જણાવી છે. આમ અનેક બાબતે આ અજઝયણમાં છે. ધુય (ધુત)-કમના નાશના ઉપાયો એટલે કમથી મુક્ત કેવી રીતે થવાય તે આ અઝયણમાં દર્શાવાયું છે. રૂપિમાં આસક્ત પ્રાણીઓને સેળ રોગોમાંથી કોઈ ને કોઈ રોગ થાય છે માટે આવા રોગથી મુક્ત થવા માટે વિષયોની કામના છોડી દેવી જોઈએ. શુદ્ધ આચાર અને શુદ્ધ ધર્મવાળા મુનિ કર્મનો નાશ કરી શકે છે. કેમ કે તેઓ અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો સમભાવે સહન કરી શકે છે. સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા એવા આ મુનિ પ્રાણીઓને માટે કદી ન ડૂબતા એવા “અસંદીન ” દીપ જેવા છે. તેઓ ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી શાન્તિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌર્ય, સરલતા, નિરભિમાનતા, નિષ્પરિગ્રહતા અને અહિંસારૂપી ધર્મને ઉપદેશ આપી દુઃખી જીવોને ધીરે ધીરે સન્માર્ગે વાળે છે. મહાપરિહણ (મહાપરિણા)–આ અઝયણ નાશ પામ્યું છે. શીલાંકસૂરિ કહે છે કે આને વિષય એ છે કે સંયમ ઇત્યાદિ ગુણોથી યુક્ત મુમુક્ષુને કઈ વેળા મોહને કારણે પરીષહે અને ઉપસર્ગો આવી પડે તે તેણે એ સારી રીતે સહન કરવાં. વિમેહ (વિમોહ)–મોહને નાશ એ આને શબ્દાર્થ છે. આ અઝયણને “વિમાફખ' પણ કહે છે, કેમકે કર્મથી મુક્ત થવાને આ માર્ગ બતાવે છે. લેકને વિષે એ છે, નથી, ધ્રુવ છે, અધ્રુવ છે, આદિ ૧. આમાં “હાથીપગે” રોગ પણ ગણાવાયો છે કે જે રેગથી સુરતમાં કેટલાક પીડાતા જોવાય છે. ૨. દ્વીપના અર્થ અને પ્રકારે માટે જુએ શીલાંકસૂચિત ટીકા (પત્ર ૨૨૪ અ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy