SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું ] આયાર મેળવી વિષયવાસનાથી વિરક્ત રહેવાને, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવાને અને ધનિક અને દરિદ્રને ભેદ રાખ્યા વિના સાચે ધર્મોપદેશ આપવાને આ અક્ઝવણમાં ઉપદેશ અપાય છે. સીએસણિજ (શીતષ્ણુય)–દુઃખના હેતુરૂપ ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ અને પ્રમાદને ત્યાગ કરી અહિંસક, સંયમી અને સમભાવી જીવન જીવવામાં સુખ છે એમ અહીં દર્શાવાયું છે. આ અજઝયણના શીર્ષકમાં “શીત” અને “ઉષ્ણુય” શબ્દ વપરાયા છે પણ એથી એ જાતના પરીષહ સમજવાના નથી, પણ અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહ સમજવાના છે. આમ હોવાથી “મહાવીરસ્વામીને આચારધર્મ ” એ પુસ્તકમાં આ અઝયણનું શીર્ષક “સુખ અને દુઃખ” રખાયું છે. સંમત્ત (સમ્યક્ત્વ)-–પૂર્વે થઈ ગયેલા, વર્તમાન અને ભવિષ્યમાં થનાર તીર્થકરનું એક જ કહેવું છે કે કોઈ પણ જીવને હણુ ન જોઈએ, તેના ઉપર હુકમ ન ચલાવવું જોઈએ કે તેને નેકર અથવા ગુલામ બનાવી તેના ઉપર બળાત્કાર ન કરવો જોઈએ કે તેને સત્તાપ કે મારે ન જોઈએ. આથી વિપરીત ઉપદેશ આપનારા જને “અનાર્ય” છે. જ્ઞાની અને બુદ્ધ પુરુષે આરમ્ભના ત્યાગી હોય છે. જેઓ બરાબર વિચારપૂર્વક “નષ્કર્માદર્શી થયા છે તેઓ “વેદવિત ' યાને સાચા જ્ઞાની છે. લેકપ્રવાહને ન અનુસરવું જોઈએ અને શરીરની મમતા તજવી જોઈએ. આ પ્રમાણેને ઉપદેશ આ અઝયણમાં અપાય છે. સન્માર્ગમાં સાચી શ્રદ્ધાપૂર્વકનું વર્તન એ આ અજઝયણને મુખ્ય સૂર છે. આવતિ (યાવન્ત:?)–આ અઝયણનું આ નામ “આદાનપદથી છે, કેમકે આ પદથી આ અજઝયણને આરમ્ભ થાય છે. આનું બીજું નામ “લોગસાર’ (લેકસાર) છે, કારણ કે લોકમાં સાર ખેંચનારા સાચા મુનિનું સ્વરૂપ આ અઝયણમાં બતાવાયું છે. વિસ્તારથી કહીએ તો જે સત્ય છે તે જ મુનિપણું છે, અને જે મુનિપણું છે તે જ સત્ય છે; જ્ઞાની પુરુષ એ સંસારરૂ૫ પ્રવાહમાં ધરે છે; જ્ઞાની પુરુષો યથાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy