SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ સીમધરસ્વામી તરફથી એ ભેટ મળ્યાની હકીકતને જેગ મળતો નથી તેનું શું એ પ્રશ્ર વિચારો બાકી રહે છે. વિષય–આ આગમનું નામ જ કહી આપે છે તેમ આચાર અર્થાત મુનિવરે એ કેમ વર્તવું એ એને વિષય છે. આને અંગેનો પ્રાયઃ ઉત્સર્ગ–માર્ગ પહેલા સુયફખંધમાં નિર્દેશાય છે, અને ઉત્સર્ગ તેમજ અપવાદરૂપ માર્ગ બીજા સુયફબંધનો વિષય છે અને તેમાં પણ એક અઝયણ તે અપવાદમાર્ગ ઉપર પ્રકાશ પાડે છે એમ એક બહુશ્રત કહે છે. આપણે અઝયણદીઠ વિષયને વિચાર કરીએ તે પૂર્વે સમવાય (સુ. ૧૩૬)માં અને નંદી(સુ. ૪૬ )માં પણ જે પ્રાયઃ એકસરખા શબ્દોમાં સમગ્ર કૃતિના વિષયને નિર્દેશ છે તે આપણે નોંધી લઇશું. શ્રમણ નિર્ચન્થને પ્રશસ્ત આચાર, ગોચર (ભિક્ષા ગ્રહણ કરવાને વિધિ ), વિનય, વૈનયિક (વિનયનું ફળ ), (કાયોત્સર્ગ કરે, સૂવું અને બેસવું એમ ત્રણને અંગેનાં ) સ્થાન, ( વિહારભૂમિ વગેરેમાં) ગમન, ચંક્રમણ, (આહાર અને ઉપધિનું) પ્રમાણ, વેગને નિયોગ (અર્થાત સ્વાધ્યાય ઈત્યાદિ વેગમાં અન્યને જોડવા તે ), ભાષા, સમિતિ, ગુપ્ત, તેમજ શમ્યા, ઉપધિ, ભક્ત અને પાન એ ચારનાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દેષની વિશુદ્ધિએ કરીને શુદ્ધ હોય તેનું તેમજ (કારણવશાત) અશુદ્ધનું ગ્રહણ, (મૂળ ગુણરૂપ) વ્રત, ( ઉત્તરગુણરૂ૫) નિયમ અને તપ એ પહેલા અંગના વિષયે છે. સત્યપરિણું (શસ્ત્રપરિજ્ઞા)–આને શબ્દાર્થ શસ્ત્રની સમજણ એ છે. અહીં શસ્ત્રથી “હિંસા ” સમજવાની છે. બુદ્ધિશાળી પુરુષે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય તેમજ ત્રણ જીવોની હિંસા ન કરવી જોઈએ. વનસ્પતિને અને મનુષ્યના ધર્મોનું આ અઝયણમાં સંતુલન કરાયું છે એટલે જેમ મનુષ્ય સચેતન પ્રાણી છે તેમ વનસ્પતિ પણ છે એમ દાખલા-દલીલથી સમજાવાયું છે. લેગવિજય (લોકવિજય)–માતાદિ લૌકિક સમ્બન્ધ પર વિજય ૧. શરીરને શ્રમ દૂર કરવા અન્ય સ્થાનમાં જવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy