SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આગનું દિગ્દર્શન [ પ્રકરણ પ્રકીર્ણક, ૬ છેદત્ર, ૪ મૂલસુત્ર અને નંદી તથા અનુયોગ(દ્વાર) એમ ૪૫ આગમો ગણાવાયા છે. બીજામાં ૪૫ આગમેની ગાથાની સંખ્યા ૬,૬૯,૬૩૫ ની દર્શાવાઈ છે, અને પાઠાન્તર તરીકે ૬,૫૯,૩૩૦ની નેંધ લેવાઈ છે. સંસ્કૃત તત્વાર્થાધિ. (અ. ૧, સૂ ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૦)માં અંગબાહ્ય કૃતના વિવિધ ભેદ દર્શાવાતી વેળા સામાયિક, ચતુર્વિશતસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયવ્યત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પ, વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિતને ઉલ્લેખ કરાયો છે, જ્યારે અંગપ્રવિષ્ટ કૃતના બાર પ્રકારો સૂચવતી વેળા બાર અંગેનાં સંસ્કૃત નામે અપાય છે. આના ઉપર સિદ્ધસેનગણિએ જે ભાષ્યાનુસારિણી ટીકા રચી છે તેનાં પૃ. ૯૦-૯૧માં આ આગમોના સ્વરૂપને કંઈક ખ્યાલ આવે તેવી રીતે એને વ્યુત્પતિ–અર્થ અપાયો છે. યાકીની મહત્તરાના ધર્મસન તરીકે સુવિખ્યાત અને મોડામાં મેડા ઈ. સ. ના આઠમા સૈકામાં થઈ ગયેલા હરિભદ્રસૂરિએ પણ વાચકવર્યની આ બે કૃતિઓ ઉપરની પિતાની ટીકા(મૃ. ૭૨-૭૩)માં આ પ્રમાણે આગમનો પરિચય આપ્યો છે. ન્યાયાચાર્ય થશેવિજયગણિએ પણ આ પ્રમાણે કર્યું છે. જુઓ પત્ર પ૧–૫૧. તત્વાર્થાધિ ઉપર દિગમ્બર આચાર્યોએ પણ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ પિકી પૂજ્યપાદ ઉફે દેવનંદિની સર્વાર્થસિદ્ધિ (પૃ. ૧૧૧૯-૧૨૦)માં બાર અંગેનાં નામ છે. વિશેષમાં એમાં પૃ. ૧૨૦મા બારમા અંગ નામે દિદિવાય (દષ્ટિવાદ)ના પાંચ વિભાગનો ઉલ્લેખ અને ૧૪ પુત્વનાં નામ છે. પૃ. ૧૨૧માં દશવૈકાલિક નામનિર્દેશ છે. નંદી (સુ. ૪૪)માં જે કાલય અને ઉક્કાલિય આગમ ગણાવાયા તેને પરિચય મલયગિરિસૂરિએ એની ટીકા (પત્ર ૨૦૪ અ-૨૦૮ અ )માં આપે છે. એવી રીતે પકિખયસુત્તમાંના આ આગની ઝાંખી યદેવસૂરિએ એની ટીકા (પત્ર ૬૬-૬૬આ )માં કરાવી છે. ૧ કલાપુરથી શક ૧૮૨૫ માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાંને આ પૃષક છે. છે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy