SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિન [ પ્રકરણ કહેવાય છે. સ્થાનકવાસીઓ નિસીહ, ક૫, વવહાર અને દસાસુયખંધ એ ચાર જ માને છે એટલે એમને મતે ચાર છેયસુત્ત છે. મૂલસુત્ત–આ કે મૂલસુય (સં. મૂલસૂત્ર) જેવી સંજ્ઞા કઈ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્ર માટે વપરાયેલી હોય એમ જણાતું નથી. મહાનિસીહ(અ. ૩)માં “મૂલસુર” શબ્દ નજરે પડે છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે વજસ્વામીએ “પંચમંગલ' મહાસુયફખંધ(મહામૃતસ્કધ)ને ઉદ્ધાર મૂલસૂત્તની મધ્યમાં લખ્યું અને મૂલસુત્ત એ સૂત્રથી ગણધરોએ ને અર્થથી અરિહંત ભગવાન ધર્મતીર્થકર ત્રિલેકપૂજય વિર જિનેન્ટે કહ્યું. મૂલસુત્તની ચારની સંખ્યા અને એ પ્રમાણેનાં નામ વિષે જૈનધર્મવરસ્તોત્ર(લે. ૩૦ )ની ટીકા(પૃ. ૯૪)માં ઉલ્લેખ છે, પણ એના કરતાં કોઈ પ્રાચીન ઉલ્લેખ જોવામાં નથી. આ ટીકામાં ઉત્તરાધ્યયન, આવશ્યક, પિણ્ડનિયુક્તિ અને (અથવા) એધનિયુક્તિ અને દશવૈકાલિક એમ ચાર ભૂલ ગણાવાયાં છે ? મૂલસુરાદિનાં લક્ષણ–મૂલસુત્તનું લક્ષણ કોઈ પ્રાચીન ગ્રન્થમાં જણાતું નથી. આ તેમજ પરણુગના સખધમાં એક કપના કરાય છે. જે આગમોનો અભ્યાસ સાધુઓ જ નહિ, પણ શ્રાવકે પણ કરી શકે તે પછણગ” કહેવાય છે; જેના અભ્યાસ માટે દીક્ષાના પર્યાયની કે એની પરિણુતિની અપેક્ષા નથી તે “મૂલસુત્ત' કહેવાય છે; જેના અભ્યાસ માટે કેવળ દીક્ષાના પર્યાયની જ અપેક્ષા છે તે “અંગ” અને “ઉવંગ” કહેવાય છે; અને જેને અભ્યાસ દીક્ષાના પર્યાય તેમજ એની પરિણતિ એમ બંનેની અપેક્ષા રાખે છે તે “છે સુર” કહેવાય છે. સ્થાનકવાસી સમ્પ્રદાય નીચે મુજબના ચાર આગમોને “મૂલસૂત્ર” તરીકે ઓળખાવે છે – ૧. કેટલાક વિદેશી વિદ્વાનોએ મલસૂત્તની સંખ્યા અને એના ક્રમ વિષે ઉલ્લેખ sal wong ni A Descriptive Cataloguə of Jaina Manuscripts (Vol XVII, pt. 8 )ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧–૧૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy