SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પહેલું ]. પીઠબધે કહેલ છે, પણ ક્રમાંક આપે નથી. વિશેષમાં એમણે રિયપણુત્તિની ટીકામાં તે એ ક્યા આગમનું ઉપાંગ છે એ વાત પણ નિર્દેશી હેય એમ જણાતું નથી. છેયસુત્ત–આને માટે છેદસુત્ત(સં. છેદસૂત્ર) શબ્દ પણ વપરાય છે, પણ આ કે આવી કોઈ સંજ્ઞા કઈ વૈદિક કે બદ્ધ શાસ્ત્ર માટે વપરાયેલી હોય એમ જાણવામાં નથી. આવાસયનિજજુત્તિની ૭૭૭ મી ગાથા તરીકે નિદેશાલી અને વિશેસામાં ૨૨૯૫ મી ગાથા તરીકે દૃષ્ટિગોચર થતી ગાથામાં “છેયસુત્ત” શબ્દ જોવાય છે. અભિધાનરાજેન્દ્ર ( ભા. ૩, પૃ. ૧૩૬ ૧)માં પંચક૫ભાસની એક ગાથા અપાઈ છે. તેમાં “છેદસુર” શબ્દ નજરે પડે છે. આ સંજ્ઞા માટે આથી કઈ પ્રાચીન ઉલ્લેખ જોવાજાણવામાં નથી. વિશેષમાં એનું લક્ષણ પણ કોઈ પ્રાચીન ગ્રન્થમાં મને મળ્યું નથી. પરિણત, અપરિણત અને અતિપરિણત એમ ત્રણ પ્રકારના શિષ્યો પૈકી પરિણત શિષ્યોને જે આગમ ભણાવાય તે છેદસુત્ત એવું લક્ષણ પંચક૫ભાસની ઉપયુક્ત ગાથાને આધારે મેં H C D 4 (પૃ. ૩૬ )માં ક્યું છે. વિ. સં. ૧૭૭૨ માં “સૂરિ” થયેલા ભાવપ્રભસૂરિએ જેનધર્મવરસ્તોત્ર( લે. ૩૯ )ના ઉપરની પણ વૃત્તિ( પૃ. ૯૪ )માં છેઃ ગ્રન્થોની “છ” એવી સંખ્યા આપી છે અને એનાં નામ નીચે મુજબ રજૂ કર્યા છે – નિશીથ, મહાનિશીથ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને છતકલ્પ. છેયસુત્તની સંખ્યા દર્શાવી તેને નામનિર્દેશ કરનારે કે આનાથી પ્રાચીન ઉલ્લેખ છે ? જતકલ્પ( જયક૫ )ની છેયસુત્ત તરીકે ગણના પાછળથી થઈ છે અને એ પહેલાં તે એને બદલે પંચકને ઉલ્લેખ થતું હતું એમ ૧. કેટલાકનું કહેવું એ છે કે કપના ભાસને એક અંશ તે પંચકલ્પ છે. જૈન ગ્રન્થાવલી(પૃ. ૧૬)માં એવો ઉલ્લેખ છે “કે પંચકપનું મૂળ સંવત ૧૬૧૨ સૂધી મોજુદ હતું.” જુઓ C D J (પૃ. ૩૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy