SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ સુહહસામાયારી યાને અણુહૃણવિહિ રચેલી છે. આ વિક્રમની બારમી સદીના ગ્રન્થ(પત્ર ૩૧ આ૩ર અ )માં બાર ઉવંગેનાં નામ મળે છે. વિશેષ એ બાર આયાર વગેરેનું એકેક ઉવંગ છે એ પણ અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉપર્યુક્ત નામ નીચે મુજબ છે – ઉવાઈય, રાયપણુઈય, જીવાભિગમ, પન્નવણુ, સૂરપન્નત્તિ, જંબુદીવપત્તિ, ચંદપન્નતિ, નિરયાવલિયા, ક૫વડિસિયા, પુપિયા, પુચૂલિયા અને વરિહાસા. પખિયસુત્તની યશોદેવસૂરિકૃત વૃત્તિમાં સમવાયના પ્રજ્ઞાપના અને મહાપ્રજ્ઞાપના એમ બે ઉપાંગને નિર્દેશ છે. હીરવિજયસૂરિએ આ વિલક્ષણુતાનું સમાધાન એ સૂચવ્યું છે કે “ પક્ષિવૃત્તૌ માબાપના વાર્થતા ઢઃ”૧ અર્થાત પાક્ષિકવૃત્તિમાં મહાપ્રજ્ઞાપનાને પણ ઉલ્લેખ છે, પણ એ બંને એક છે. આ ઉત્તરથી મને સંતોષ થતો નથી એમ મેં H C D J (પૃ. ૩૧ )માં કહ્યું છે. વિયારસાર ( ગા. ૩૪૮) ઉપરથી એમ જણાય છે કે કેટલાકને મતે દીવસાગરપણુત્તિ “ઉવંગ” છે. - હરિભદ્રસૂરિએ પણુવર્ણની ટીકામાં પરણવણને “ઉપાંગ” તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ એને ક્રમાંક દર્શાવ્યો નથી. વિક્રમની બારમી સદી પહેલાના કેાઈ પણ ગ્રન્થમાં “બાર ઉવગે” એ ઉલેખ કે એનાં એ રીતે અપાયેલાં નામ જોવામાં નથી. અભયદેવસૂરિએ વવાયની વૃત્તિમાં આ આગમને આયારના ઉપાંગ તરીકે ઉલ્લેખ કર્યો છે. એવી રીતે મલયગિરિસૂરિએ રાયપસેણિયની વૃત્તિમાં આ ઉવંગને સૂયગડનું, જીવાભિગમની વૃત્તિમાં છવાભિગમને ઠાણનું અને પશુવણની વૃત્તિમાં પણુવણને સમવાયનું ઉપાંગ ૧. જુઓ વિ. સં. ૧૯૬૧માં રચાયેલી પ્રમેયરત્નમંજૂષા(પત્ર ૧ આ) ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy