SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું 1. અંતગડદસા ઠાણ (ઠા. ૧૦; સુ. ૭૫૫)માં એનાં દસ અઝયણને ઉદલેખ છે, જ્યારે આપણે ઉપર જોઈ ગયા તેમ ઉપલબ્ધ આગમમાં તે બાણુ અઝયણે છે. વિશેષમાં ઠાણ (સુ. ૭૫૫ )માં દસ અઝયણનાં જે નામ અપાયાં છે, તે આ ઉપલબ્ધ આગમમાં છે જ નહિ અને વિશેષ વિચિત્રતા તે એ છે કે એમાંનાં કેટલાંક નવમા અંગનાં અજઝયણોનાં નામ તરીકે જોવાય છે. આ ઉપરથી એમ લાગે છે કે આ અંગનું મૂળ સ્વરૂપ પૂરેપૂરું જળવ ઈ રહ્યું નથી. વિષય-પહેલા વગ્નમાં બારવતી (ધારવતી અર્થાત ધારકા)નું વર્ણન છે અને કૃષ્ણ વાસુદેવનાં પત્ની, પુત્ર વગેરેની સંખ્યા અપાયેલી છે. વિશેષમાં અધકવૃષ્ણિ રાજાની ધારિણું દેવીના દસ પુત્ર નેમિનાથ પાસે દીક્ષા લઈ, બાર ભિક્ષુપ્રતિમા સેવી અને “ગુણરત્નસંવત્સર” તપ કરી શત્રુજય ગિરિ પર જઈ અનશન કરી બેસે ગયાને અધિકાર છે. બીજા લગ્નમાં આ રાજારાણીના અન્ય આઠ પુત્રો વિષે પણ આવો ઉલલેખ છે ત્રીજા વર્ગોમાં તેર કુમારોને અધિકાર છે. પહેલા અઝયણમાં કહ્યું છે કે નાગ નામના ગૃહસ્થને સુલસા નામની પત્ની છે. એનો પુત્ર અણિયસકુમાર નેમિનાથ પાસે દીક્ષા લઈ “શત્રુ જય” ગિરિ પર એક માસની સંલેખના કરી મોક્ષે જાય છે. એનાં પછીનાં છ અજઝયણમાં દેવકીના છ પુત્ર વિષે આવી હકીકત છે. આઠમા અઝયણમાં સમાન રૂપવાળા આ જ છ પુત્રો દેવકીને ત્યાં ભિક્ષાર્થે જાય છે અને એમને જોઈ દેવકીને અતિમુક્તક મુનિએ કહેલી વાત યાદ આવે છે કે તમને એકસરખા રૂપવાળા આઠ પુત્ર થશે. આની પ્રતીતિ માટે એ નેમિનાથ પાસે જાય છે. ત્યાં એને ખબર પડે છે કે એના જ આ છ પુત્રો છે અને તેને સલસાએ ઉછરી મોટા કર્યા છે. પછી એ પોતાના છ પુત્રોને વન્દન કરવા જાય છે ત્યારે એને પાને ચડે છે. દેવકીને પુત્રની અભિલાષા થતાં કૃષ્ણ હરિણગમેષને ઉદ્દેશીને તપ કરી એની ઇચ્છા પૂર્ણ કરે છે. દેવકીને પુત્ર થાય છે અને તેનું નામ ગજસુકુમાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy