SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છડું ]. નાયાધમ્મકહા આ સાર્થવાહ કેવી તૈયારી કરીને અને કયા કયા ધર્મવાળાને સાથે લઈને પ્રયાણ કર્યું તે દર્શાવાયું છે. અવરકંકા (અમરકંકા)આ એક નગરનું નામ છે. એને અહીં અમરકંકા” તેમજ “અપરકંકા પણ કહ્યું છે. આ નગરને રાજા દ્રોપદીને લઈ ગયો એ વાત આ અજઝયણમાં આવતી હોવાથી એનું આ નામ રખાયું છે. નાગશ્રીએ તૈયાર કરેલું કડવી તુંબડીનું શાક ધર્મરુચિને વહરાવ્યું. એમણે ગુરુને બતાવતાં તેમણે એ નહિ ખાતાં પરઠવવા કહ્યું. તેમ કરવા જતાં એક ટીપું જમીન ઉપર એમણે મૂક્યું તે એના ગધથી હજાર કીડી ત્યાં આવી અને એ ચાખતાં મરી ગઈ. એ ઉપરથી ધર્મરુચિ જાતે જ એ શાક ખાઈ ગયા અને એથી એમનું મૃત્યુ થયું. તેમ થતાં નાગલીની વાવણું થઇ, અને એના પતિએ એને કાઢી મૂકી. એ સેળ રોગોથી પીડિત થઈ મરી ગઇ. કાલાન્તરે એને સુકુમાલિકો તરીકે જન્મ થયો. સાગર સાથે એનાં લગ્ન થયાં. એના અંગના સ્પર્શથી સાગરને ખૂબ વેદના થઈ અને એણે એને ત્યાગ કર્યો. પછી એ કમકના સમાગમમાં આવી પણ દ્રમક પણ એને મૂકીને નાઠે. સુકુમાલિકાએ આખરે દીક્ષા લીધી. એક વેળા એ ધ્યાન ધરવા બહાર ગઈ. ત્યાં ગણિકાને પાંચ પુરુષો વડે સકારાતી જોઈ એ સાધ્વીએ અવાન્તર ભવમાં એવા સુખભગ મેળવવા નિયાણું (નિદાન) કર્યું. કાળ કરી એ દ્રૌપદી તરીકે જન્મી. એ ઉમ્મરલાયક થતાં દ્રુપદ રાજાએ સ્વયંવર ર ને કૃષ્ણ વગેરેને આમત્રણ આપ્યું. સ્વયંવરમાં દ્રૌપદી પાંચ પાંડવોને પરણી. એક વેળા નારદ આકાશમાંથી ઊતરી પાડુ રાજાના મહેલમાં ૧ ચરક, ચીરિક, ચર્મખંડિક, ભિÚડ, પંખુરગ, ગૌતમ, ગોત્રી, ગૃહિધર્મી, ધર્મચિન્તક, અવિરુદ્ધ, વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, વૃદ્ધ શ્રાવક, રક્તપટ અને નિર્મથને અહીં નામોલ્લેખ છે. ૨ આની કથા. બૃહત્કથાકેશ (૫૭, ૨૦૪) સાથે સરખાવાય તેમ છે. ૩ આનું વર્ણન આ અ ણુમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy