SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નાયાધમ્મકહા સામ્પરાયિક કમ આઠ પ્રકારનું છે તેથી અહીં કાણું વિનાના તુમ્બડાને દાભથી વીંટી તેના ઉપર માટીને લેપ લગાવી તેને તડકે સુકવો એ બાબત ઉપરાઉપરી આઠ વાર કરવાની કહેવાઈ છે. રેહિણી (રોહિણ)–એક શેઠિયાની રોહિણું નામની પુત્રવધૂની કથાને ઉપનય અહીં દર્શાવાયો છે એથી એનું આ નામ રખાયું છે. શેઠિયાને ઉઝિકા, ભગવતી, રક્ષિકા અને હિષ્ણુ નામની ચાર પુત્રવધૂઓ હતી. પહેલીએ એના નામ પ્રમાણે સસરાએ આપેલા પાંચ ડાંગરના દાણું ફેંકી દીધા, બીજી એના નામને જાણે ચરિતાર્થ કરતી હોય તેમ તે ખાઈ ગઈ, ત્રીજીએ એ સંગ્રહી રાખ્યા અને ચોથીએ એ ઉગાડ્યા. આ કથા દ્વારા શ્રમણની ચાર કટિ બતાવાઈ છે. આ જ કથા છેડા ફેરફાર સાથે સર્વાસ્તિવાદના વિનયવસ્થમાં જોવાય છે. એક જર્મન પુસ્તકના “બુદ્ધ અને મહાવીર” નામના અનુવાદમાં કહ્યું છે કે બાઇબલના નવા કરારમાં મેથ્ય અને ભૂકની સુવાર્તામાં આને મળતી કથા છે. એ કથાને લઈને એ પુસ્તકમાં ભારત અને ખ્રિસ્તિ સમાનતાઓ દર્શાવાઈ છે. મલ્લિ (મલ)–અહીં ૧લ્મા તીર્થંકર મલ્લિનાથને વૃત્તાન્ત છે એ ઉપરથી આનું આ નામ રખાયું છે. “તીર્થકરનામગોત્ર” કર્મ બાંધવાનાં વાસ સ્થાનકે અહીં ગણાવાયાં છે. રાજકુમારી મહિલાએ પિતાને વરવા આવેલા છે કે રાજાઓને સુવર્ણમૂર્તિ ઉપરનું ઢાંકણું ખોલી કેવી રીતે પ્રતિબંધ પમાડ્યો તેની હકીકત અહીં અપાઈ છે. કુણાલના રુપિ (કિમન) રાજાએ પિતાની પુત્રીના ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ કર્યો તે વિષે એણે પિતાના વર્ષધરને પૂછ્યું ત્યારે તેણે મલ્લિના સ્નાન—ઉત્સવનાં વખાણ કર્યા, | માયંદી (માકન્દી)–ભાયંદી સાર્થવાહને બે પુત્ર નામે જિનરક્ષિત અને જિનપાલિતને આમાં અધિકાર આવતું હોવાથી આ નામ એજયું છે. જિનરક્ષિત જિન પાલિત સાથે અગિયાર વાર “લવણ સમુદ્રની સફરે ગયો હતો અને બન્ને ભાઈઓ ક્ષેમકુશળ પાછા ફર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy