SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર દેવલોકમાં પુલાકની સ્થિતિ ઓછામાં ઓછી બેથી નવ પલ્યોપમ સુધીની (પલ્યોપમપૃથકત્વ), અને વધારેમાં વધારે ૧૮ સાગરેપની છે. બકુશની તે જ પ્રમાણે છે; પણ વધારેમાં વધારે ૨૨ સાગરેપની છેપ્રતિસેવનાકુશીલનું તેમ જ સમજવું. કષાયકુશીલની તે જ પ્રમાણે, પણ વધારેમાં વધારે ૩૩ સાગરેપમ, તથા નિગ્રંથની ૩૩ સાગરેપમ જ સ્થિતિ છે. ૧૪. હવે સંયમસ્થાન એટલે કે ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિના વત્તાઓછાપણાને લીધે થતા ભેદોની દષ્ટિએ વિચાર કરવામાં આવે છે. ચારિત્રમેહનીય ક્ષયોપશમ અનેક પ્રકારનો હેવાથી પુલાકથી માંડીને કષાયકુશીલ સુધીનાનાં સંયમસ્થાને અસંખ્યાત છે. નિગ્રંથને એક જ સંયમસ્થાન છે, કારણકે કવાયનો ક્ષય કે ઉપશમ એક જ પ્રકારનો હોવાથી તેની શુદ્ધિ પણ એક જ પ્રકારની છે. એ પ્રમાણે સ્નાતક વિષે પણ જાણવું. નિગ્રંથ અને સ્નાતકનું સંચમસ્થાન એક જ છે; પુલાકનાં તેથી અસંખ્યાતગણ છે; બકુશનાં તેથી પણ અસંખ્યાતગણાં છે પ્રતિસેવનાકુશીલનાં તેથી પણ અસંખ્યાતગણાં, અને કષાયકુશીલનાં તેથી પણ અનંતગણું છે. ઉક્ત સંયમસ્થાનોમાંથી સૌથી ઓછાં સ્થાને પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને અસંખ્યાત સંયમસ્થાન સુધી સાથે જ વધ્યે જાય છે, ત્યારબાદ પુલાક અટકે છે, પરંતુ કષાયકુશીલ એકલો ત્યારબાદ અસંખ્યાત સ્થાન સુધી ૧. તેની સંખ્યા માટે જુઓ આગળ પા. ૬૫, મેં. ૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy