SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન્! એકાંતપંડિત મનુષ્ય કઈ ગતિને યોગ્ય આયુષ્યકર્મ બાંધે ? માહે ગૌતમ! તે તો કદાચ આયુષ્યકર્મ ન પણ બાંધે; અને બાંધે તે દેવનું જ બાંધે. ગૌ –હે ભગવન્! તેનું શું કારણ? મ0 –હે ગૌતમ! સર્વ એકાંતપંડિત મનુષ્યની માત્ર બે ગતિઓ કહી છે: (૧) અંતક્રિયા એટલે કે નિર્વાણ- મોક્ષ; અને (૨) કલ્પ — અનુત્તર – સુધીના દેવલોકમાં ઉત્પત્તિ. હે ભગવન ! બાલપંડિત કોનું આયુષ્ય બાંધે ? મહ–હે ગૌતમ! દેવનું. ગૌ૦ –હે ભગવન ! તેનું શું કારણ? મો—હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ ધાર્મિક અને આર્ય વચન સાંભળી, તથા તેનું અવધારણ કરી, કેટલીક પ્રવૃત્તિથી (સ્થૂલ હિંસાદિકથી) અટકે છે અને કેટલીકથી ( હિંસાદિમાત્રથી) નથી અટકતો; કેટલીક પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ (પ્રત્યાખ્યાન) કરે છે, અને કેટલીક નથી કરતો; આમ કેટલીક પ્રવૃત્તિથી અટકવાને લીધે તેમ જ કેટલીકનો ત્યાગ કરવાને લીધે તે નરયિકાદિનું આયુષ્ય નથી બાંધતો, પરંતુ દેવનું આયુષ્ય બાંધી દેવામાં ઉત્પન્ન થાય છે. – શતક ૧, ઉદ્દે ૮ ૧. ટીકાકારના જણાવ્યા પ્રમાણે તેનો અર્થ “સાધુ” થાય છે. ૨. ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ મેહનીય ક્ષય થયા બાદ, ૩. એટલે કે શ્રાવક. –ટીકા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy