SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ ૧૭ તાપસ એટલે કે ખરી પડેલાં પાંદડાં વગેરેને ઉપભોગ કરનારા (મૂઢ તપસ્વીઓ) તિષિકમાં; ચેષ્ટા, ચાળા વગેરે કરનાર કાંદપિકે સૌધર્મકલ્પમાં; ધાડની ભિક્ષાથી જીવનારા ત્રિદંડીએ (ચરક પરિવાજક) બ્રહ્મલોકકલ્પમાં, જ્ઞાન, જ્ઞાની, સાધુ વગેરેની નિંદા કરનારા કિબિષિકો લાંતકકલ્પમાં, દેશવિરતિ ધારણ કરનાર ગાય ઘડે વગેરે તિય સહસ્ત્રારકલ્પમાં; આજીવક સંપ્રદાયના ગોશાલક-શિષ્ય તથા મંત્રાદિનો પ્રયોગ કરનારા આભિયોગિક અશ્રુતકલ્પમાં અને દર્શનભ્રષ્ટ વેષધારકો પરના રૈવેયકમાં ઉત્પન્ન થાય છે. – શતક ૧, ઉદ્દે ૨ રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌતમ—હે ભગવન! એકાંતબાલ એટલે કે મિથ્યાદષ્ટિ જીવ અથવા વિરતિ વિનાને જીવ કેવું ( કઈ ગતિનું ) આયુષ્યકર્મ બાંધે ? મહ–હે ગૌતમ! પોતાનાં મોટાં-નાનાં કાર્યો અનુસાર નૈરયિકનું, તિર્યચનું, મનુષ્યનું અને દેવનું પણ બાંધે. ૧. અથવા ચરક એટલે કુટકાદિ (લંગોટિયા ?) અને પરિવ્રાજક એટલે કપિલ મુનિના શિખ્યો. ૨. જુએ ચારિત્રખંડમાં જમાલિની કથાને ઉપહાર. . કૌતુક એટલે સૌભાગ્યાદિ માટે નાન બતાવવાં, ભૂતી કર્મ એટલે તાવવાળા વગેરેને ભૂતિ દેવી, સ્વવિદ્ય ઈત્યાદિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy