SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર રાજગૃહને પ્રસંગ છે. ગૌતમ હે ભગવન્! અસંવૃત અનગાર (સાધુ) સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પામે અને સર્વ દુઃખેને અંત કરે? મહ–હે ગૌતમ! એ વાત બરાબર નથી. ગૌ–હે ભગવન્! તે ક્યા કારણથી? મ––હે ગૌતમ ! અસંવૃત અનગાર આયુષ્ય સિવાયની બાકીની સાતે કર્મપ્રકૃતિઓ શિથિલપણે બંધાઈ હોય તેને ગાઢ બંધનવાળી કરે છે, જે પ્રકૃતિઓ થોડા સમયની સ્થિતિવાળી હોય, તેઓને લાંબાકાળની સ્થિતિવાળી કરવાનો આરંભ કરે છે; મંદ અનુભાવવાળી – હીન રસવાળી પ્રકૃતિએને ગાઢ રસવાળી કરે છે; અને થોડા પ્રદેશવાળાં કર્મદળનાં પરિમાણવાળી પ્રકૃતિએને ઘણું પ્રદેશવાળાં કર્મદળનાં પરિમાણવાળી કરે છે, અશાતાદનીય એટલે કે દુખપૂર્વક ૧. એક ભવમાં ચાલુ આયુષ્યને ત્રીજો ભાગ વગેરે બાકી રહેતાં એક જ વખત માત્ર અંતર્મુહૂર્તદાળને વિષે આયુષ્યકર્મ બંધાય છે. માટે સાત કર્મપ્રકૃતિ કહી. ૨. કષાયપૂર્વક કરાતી મન-વાણી-કાયાની પ્રવૃત્તિ એટલે કે યોગને કારણે કમેપરમાણુઓ જીવમાં બંધાય છે. તે વખતે તેમાં ચાર અંશે નિર્માણ થાય છે : ૧. જ્ઞાનને આવૃત્ત કરવાને, સુખદુઃખ અનુભવાવવાને વગેરે સ્વભાવ – “પ્રકૃતિબંધ”; (૨) તે સ્વભાવથી અમુક સમય સુધી સ્મૃત ન થવાની કાલમર્યાદા – સ્થિતિબંધ', (૩) તીવ્રતા મંદતા આદિપણે ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ – “અનુભાવબંધ'; અને (૪) સ્વભાવ દીઠ તે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy