________________
શ્રીભગવતીસાર આહાર કરે છે, ઘણે ઉસ નિઃશ્વાસ લે છે, અને તે બધું વારંવાર કરે છે. નાના શરીરવાળાનું તેથી ઊલટું જાણવું. જે નૈરયિકો પૂર્વે ઉત્પન્ન થયેલા છે. તેઓ અલ્પ કર્મવાળા, છે, કારણકે તેમણે પિતાનાં આયુષ વગેરે કર્મોને મેટો ભાગ અનુભવી લીધો છે; અને જે નવા ઉત્પન્ન થયા છે, તે વધારે કર્મવાળા છે. તે જ રીતે જેઓ પૂર્વે ઉત્પન્ન થયા છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે, અને પછી ઉત્પન્ન થયેલા અવિશુદ્ધ વર્ણવાળા છે. તેવું જ લેસ્યાનું પણ જાણવું. વેદનાની બાબતમાં, જે સંજ્ઞિભૂત છે, તે મોટી વેદનાવાળા, છે; કારણ કે તેમને પસ્તાવો થાય છે. અને અગ્નિભૂત ઓછી વેદના વાળા છે. વળી તેમાં જે સમ્યગદષ્ટિ છે, તેઓને મિયાદષ્ટિપ્રત્યયા સિવાયની બીજી આરંભિક આદિ ચારે ક્રિયા હોય છે, અને મિથ્યાદષ્ટિને પાંચે હોય છે.
–શતક ૧, ઉદે૦ .
ગ –હે ભગવન ! નૈરયિકે ભારે (ગુરુ) છે કે હળવા (લઘુ) છે, ભારે-હળવા (ગુરુલઘુ) છે કે (અગુરુલઘુ) નહીં ભારે–નહીં હળવા છે !
મહ–હે ગૌતમ ! તેઓ ગુરુ-લધુ છે, તથા અગુરુલઘુ છે. કારણકે વૈક્રિય અને તેજસ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુલઘુ છે; અને જીવ તથા કર્મની અપેક્ષાએ અગુરુલઘુ છે.
– શતક , ઉદ્દે ૯
આગળ ા, ૧૭,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org