SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તરત ના હિસાદિ નું અને આ શ્રીભગવતી-સાર પુલાકના પાંચ પ્રકાર છે: ખલન ઇત્યાદિથી જ્ઞાનને દૂષિત કરે તે જ્ઞાનપુલાક; શંકા આદિથી સમ્યક્ત્વને દૂષિત કરે તે દર્શનપુલાક; અહિંસાદિ ગુણોની વિરાધનાથી ચારિત્રને દૂષિત કરે તે ચારિત્રપુલાક; નિષ્કારણ અન્ય સંપ્રદાયનું લિંગ ધારણ કરે તે લિંગપુલાક; અને જે અકલ્પિત – સેવવા અગ્ર દેષોને મનથી સેવે તે યથાસૂમપુલાક. ૨. બકુશ : “એટલે કે ચિત્ર વર્ણવાળા; અર્થાત જે સાધુઓ શરીર અને ઉપકરણ સુશોભિત રાખવાના પ્રયત્નવાળા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હોય, સસંગ–પરિવારયુક્ત – હોય, તથા અતિચારાદિષયુક્ત ચારિત્રવાળા હોય છે.' બકુશ સાધુઓના પ્રાંચ પ્રકાર છે. શરીરાદિની શોભા સાધુને અગ્ય છે એમ જાણવા છતાં તેવા પ્રકારનો દોષ સેવે તે આભોગકિશ; અજાણતાં તે દોષ સેવે તે અનાભોગબકુશ; ચારિત્રને અહિંસાદિ ગુણો વડે સંવૃત હોય તે સંવૃત બકુશ; તેથી ભિન્ન તે અસંવૃતબકુશ; અને આખ–મુખને સાફ રાખનાર યથાસૂત્મકુશ. ૩. કુશીલ: “એટલે કે, દોષના સંબંધથી જેનું શીલ કુત્સિત – મલિન થયું છે તે. તેમાં પણ જેઓ ઇનેિ વશવર્તી હેઈ, ઉત્તરગુણેની વિરાધના કરે, તે “પ્રતિસેવનાકુશીલ” કહેવાય છે; અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન ૧. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અને રાત્રીજનત્યાગ એ મૂળ ગુણો છે; અને નિર્દોષ ભિક્ષાચર્યા, ગૃહસ્થનાં વાસણ–શવ્યા–માન વગેરેનો ત્યાગ, અસ્નાન, અને આભૂષણત્યાગ એ ઉત્તર ગુણે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy