SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનવાસી દે " ૭૧૫ ઉસનિઃશ્વાસ લે છે. પણ નાના શરીરવાળા તેથી ઊલટું કરે છે. ગૌ૦–હે ભગવન ! બધા અસુરકુમારો સરખા કર્મવાળા છે? મ–ના ગૌતમ ! જેઓ પહેલાં ઉત્પન્ન થયેલા છે. તેઓએ ઘણું અશુભ કર્મ એકઠું કર્યું હોવાથી મહાકર્મવાળા. છે; અને જે પછી ઉત્પન્ન થયેલા છે. તેઓ અલ્પ કર્મવાળા, છે. તે પ્રમાણે પહેલાં ઉત્પન્ન થયેલાઓનું શુભકર્મ ક્ષીણ થયું હોવાથી તેઓને શુભ વર્ણ અને શુભ લેસ્યા પણ. ઘટી જાય છે. ગૌ૦–-હે ભગવન ! બધા અસુરકુમાર સરખી. વેદનાવાળા છે? મ–ના ગૌતમ ! જે અસુરકુમાર સંજ્ઞિભૂત છે, ૧. સામાન્ય નિયમ એ છે કે, જેમ જેમ દેવાની સ્થિતિ વધતી જાય, તેમ તેમ ઉસનું કાલમાન પણ વધતું જાય. જેમકે દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉસ સાત સાત રસ્તાકપરિમાણુ કાળમાં થાય; એક પોપમ આયુષવાળાને એક દિવસમાં એક જ હોય; અને સાગરોપમ આયુષ્યવાળાનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેનો એક એક ઉફ સ તેતેટલે પખવાડિયે થાય છે. ૨. તેઓનું ચિત્ત અતિ કંદર્પ અને દર્પ યુક્ત હોવાથી અનેક પ્રકારની યાતના વડે નારકોને પીડા પમાડતા તેઓ ઘણું અશુભ કમ એકઠું કરે છે.---ટીકા ૩. સંજ્ઞા એટલે સમ્યગદર્શન. પહેલાં અસંજ્ઞી હોઈ પછી સંજ્ઞી થયા હોય, અર્થાત્ મિથ્યાદર્શન છોડીને જેઓ જન્મથી સમ્યગદર્શનયુક્ત ઉત્પન્ન થયેલા હોય તે સંક્ષિભૂત કહેવાય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy