SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રીભગવતીસાર મો-– હે ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ અઢાર પાપસ્થાનેને સાકાથી જીવ શીધ્ર હલકાપણું પ્રાપ્ત કરે છે. એ જ રીતે હિંસાદિ અઢાર પાપસ્થાને ન ત્યાગનારનો સંસાર વધે છે, લાંબો થાય છે, તથા તે સંસારમાં ભમ્યા કરે છે; પરંતુ તેમાંથી નિવૃત્ત થનારનો સંસાર ઘટે છે, ટૂંક થાય છે, અને તે સંસારને ઓળંગી જાય છે. હળવાપણું, સંસારને ઘટાડે, સંસારને ટૂંક કરે, અને સંસારને ઓળંગ એ ચાર પ્રશસ્ત છે; તથા ભારેપણું, સંસારને વધારવો, સંસારને લાંબો કરો અને સંસારમાં ભમવું એ અપ્રશસ્ત છે. – શતક ૧, ઉદે ૯ તમ– હે ભગવન ! જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે? મ– હે ગૌતમ! ત્રણ સ્થાનો વડે જીવો થોડું જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે: હિંસા વડે, અસત્ય વાણી વડે, તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા સદોષ અન્નપાનાદિ આપવા વડે. ગૌત્ર – હે ભગવન્! છેવો લાંબો કાળ જીવવાના કારણુભૂતિ કર્મ કેવી રીતે બાંધે છે ? . મા – હે ગૌતમ ! ત્રણ સ્થાનો વડે જીવો લાંબો કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે: અહિંસા વડે, સત્ય વાણી ૧. “અકથ્ય, ન ખપે તેવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy