SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીeગવતી-સાર જોઈને તે મહાવીર ભગવાન પાસે આવીને પૂછવા લાગ્યા, “હે ભગવન ! સૂર્ય એ શું છે? અને હે ભગવન! સૂર્યને અર્થ શું છે ?' મ–હે ગૌતમ ! સૂર્ય એ શુભ પદાર્થ છે, અને સૂર્યને અર્થ પણ શુભ છે. ૧ – શતક ૧૪, ઉદ્દે ૯ ૨. ચન્દ્ર રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામી પૂછે છે : હે ભગવન્! જંબુકીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે, અને કેટલા પ્રકાશ કરશે ? ભ૦—-હે ગૌતમ ! જ બુદ્ધીપમાં બે ચંદ્ર પ્રકાશ કર્યો છે, કરે છે, અને કરશે; તે જ પ્રમાણે સૂર્ય પણ બે સમજવા. એકેક ચંદ્ર તથા સૂર્યનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, અને ૬ ૬૯૭પ ઉપર ૧૪ મીંડાં એટલા તારાઓ છે. -- શતક ૯, ઉદ્દે ૨ ૩. ગ્રહણ ગૌ –હે ભગવન ! ઘણું માણસે પરસ્પર એમ કહે છે કે, રાહુ ચંદ્રને ચૂસે છે. હે ભગવન્! એમ કેમ હૈય? ૧. આનો શું અર્થ થયો ? ટીકાકાર જણાવે છે કે, સૂર્ય વિમાનમાં આવેલા પૃવીકાયિની આતપ નામની પુણ્ય પ્રકૃતિના ઉદયમાં રહેલ હેવાથી સૂર્ય વસ્તુ શુભસ્વરૂપી છે; વળી લોકેમાં પણ તે પ્રશસ્ત જ મનાય છે; તથા જયોતિષ્કાને તે ઈદ્ર છે. સૂર્યને અર્થ : સૂર એટલે કે ક્ષમાવીર, તપવીર, દાનવીર, સંગ્રામવીર ઇત્યાદિ વરે પ્રત્યે હિતકારક તે સૂર્ય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy