SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર છે! માટે તમે જરૂર અસંયમી, અવિરત, પાપી અને અત્યંત બાલ – અજ્ઞ છો ! - ત્યારે તે સ્થવિર ભગવંતોએ તેમને જવાબ આપ્યો, હે આ ! અમે નિપ્રોજન આવ-જા કર્યા કરતા નથી, પરંતુ કાયને–એટલે કે શરીરના મલત્યાગાદિ કાર્યને આશારીને, કે યોગને – એટલે કે બીમારની સેવા વગેરે વ્યાપારને આશરીને, કે ઋતને – એટલે કે પાણીજી વગેરેના સંરક્ષણરૂપ સત્ય એટલે કે સંયમને આશારીને, તથા સચેતન દેશ છોડીને અચેતન દેશ દ્વારા જ, આવ-જા કરીએ છીએ. તેથી અમે જીવહિંસા કરતા નથી. પરંતુ હું આ ! તમે પોતે જ અસંયમી, અવિરત, પાપી, અને અત્યંત બાલ – અજ્ઞ છે”.. , ત્યારે તે અન્યતીથિંકાએ તે સ્થવિરેને પૂછયું, “હે આર્યો ! કયા કારણથી અમે અસંયમી વગેરે છીએ ?' તે સ્થવિર ભગવંતોએ જવાબ આપ્યો “હે આર્યો ! તમે તો સંયમાદિને ખ્યાલ રાખ્યા વિના જ (ત્વરાથી તેમજ વાહનાદિ વડે) આવ-જા કરે છે એટલે તમે અવશ્ય પૃથ્વી વગેરે જેની હિંસાકરે છે, તેથી તમે અસંયમી વગેરે છે.” – શતક ૮, ઉદ્દે ૭ તથા ૮ – શતક ૧૮, ઉદ્દે ૮ રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ—હે ભગવન્! સામે તેમ જ બાજુએ ગાડાના ધૂસરા જેટલી આગળ–આગળની જમીનને જોઈ જોઈને ચાલતા સંયમી અનગારના પગ નીચે અજાણતાં કૂકડીનું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy