________________
શ્રીભગવતીસાર ગૌહે ભગવન ! શું ક્રિયાવાદી છો ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ?
મહ–હે ગૌતમ! તેઓ ભવસિદ્ધિક છે. બાકીના ત્રણે વાદી બને છે.૧
– શતક ૩૦, ઉદ્દે ૧. ૩: તુલ્યના પ્રકાર ગૌતમ –હે ભગવન ! તુલ્યના કેટલા પ્રકાર કહેલ છે ?
મહ–હે ગૌતમ! છ પ્રકારે તુલ્ય કહેલ છે: દ્રવ્યતુલ્ય, ક્ષેત્ર, કાલ૦, ભવ, ભાવ, અને સંસ્થાન તુલ્ય.
૧. એક પરમાણુ બીજા પરમાણુ સાથે દ્રવ્યથી તુલ્ય છે.
૨. આકાશના એક પ્રદેશમાં રહેલ પુલ એક પ્રદેશમાં રહેલ પુદ્ગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય છે.
૩. એક સમયની સ્થિતિવાળું પુગલદ્રવ્ય, એક સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાલથી તુલ્ય છે.
૪. નારક જીવ નારકની સાથે ભવરૂપે તુય છે.
૫. એકગુણ કાળા વર્ણવાળું પુદ્ગલ દ્રવ્ય, એકગુણ કાળા વર્ણવાળા પુગલદ્રવ્યની સાથે ભાવથી તુલ્ય છે.
૬. પરિમંડલ સંસ્થાન, પરિમંડલ સંસ્થાન સાથે સંસ્થાન વડે તુલ્ય છે.
– શતક ૧૪, ઉદ્દે ૭ ૧. અહી પાછો લેશ્યાવાળા, જ્ઞાનવાળા, કષાયવાળા વગેરેને આ લાંબો કમ મૂળમાં આવે છે.
૨. સંસ્થાન એટલે આકારવિશેષ. તેના વૃત્ત, ઐશ્વ, ચતુરસ્ત્ર અને આયત એમ અન્ય પ્રકાર માટે જુઓ આગળ. પા. ૪૯૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org