SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ શ્રીભગવતી-સાર મહ–હે ગૌતમ! અનેક છે. ધર્મ, ધમસ્તિકાય. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ ...... એમ પરિગ્રહવિરમણ સુધી; કવિવેક.....એમ મિથ્યાદર્શનશલ્યના ત્યાગ. સુધી; ઈર્યાદિ પાંચ સમિતિ, અને મનાદિ ત્રણ ગુપ્તિ – એ બધાં તથા તેના જેવા બીજા શબ્દો તે સર્વે ધમસ્તિકાયનાં અભિવચન છે. ૧ તે પ્રમાણે અધર્માસ્તિકાયનાં અભિવચન આ પ્રમાણે છે : અધર્મ, અધમસ્તિકાય – અને પ્રાણાતિપાતથી માંડીને કાલની અગુપ્તિ – એ બધાં અને તેના જેવાં બીજાં જે અનેક વચને છે, તે બધાં. આકાશાસ્તિકાયનાં આ પ્રમાણે છે: આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, પહ, વિહાય, વીચિ, વિવર, અંબર, અંબરસ (અંબ– જલરૂપ રસ જેનાથી પ્રાપ્ત થાય છે તે), છિદ્ર, શુષિર, ભાર્ગ, વિમુખ (મુખ આદિ રાહત), અર્દ [ (અદ્ર) જે દ્વારા ગમન કરાય તે], વ્ય, આધાર, વ્યોમ, ભોજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ (ગમનક્રિયા રહિત), સ્ફટિક (સ્વચ્છ) અને અનંત – એ તથા એના જેવાં બીજાં અનેક. * જીવાસ્તિકાયનાં આ પ્રમાણે છે: જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા (પુગલોને ચય કરનાર), જેતા (કર્મરૂપી શત્રુને), આત્મા, રંગણ (રાગયુક્ત), હિંદુક (ગમન કરનાર), પુદ્ગલ, માનવ (નવીન નહીં, પણ પ્રાચીન), કર્તા, વિકર્તા (વિવિધરૂપ કર્મોને), જગત ૧. અહીં ધર્માસ્તિકાય દ્રવ્યની સાથે અહિંસાદિ ધ ગણાવ્યા છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. જેતરનાર ) જવા વિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy