SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૧ અસ્તિકાય ગૌ૦–હે ભગવન ! ધર્માસ્તિકાયેદ્રવ્ય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય ? મ–હે ગૌતમ! એક પણ પ્રદેશ વડે સ્પર્શ કરાયેલા ન હોય; પરંતુ અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે, આકાશાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ વડે, જીવાસ્તિકાયના અનંત પ્રદેશ વડે, અને પુદ્ગલાસ્તિકાયને અનંત પ્રદેશ વડે પૃષ્ટ હોય. પરંતુ અદ્ધા – કાલ– સમયે વડે તો કદાચ સ્પષ્ટ હાય, અને કદાચ સ્કૃષ્ટ નહાય. (કારણ કે અદ્ધા–સમય – માત્ર અઢીપમાં જ છે. એ પ્રમાણે બીજે બધે પણ સમજવું. –હે ભગવન! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં બીજા કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાઢ હોય? માહે ગૌતમ! એક પણ નહિ; પણ અધર્માસ્તિકાયને એક, આકાશાસ્તિકાયનો એક, જીવાસ્તિકાયના અનંત અને પુલાસ્તિકાયને અનંત હોય; અદ્ધા–સમયના તો કદાચ હોય અને કદાચ ન હોય. હોય તે અનંત હાય. એ પ્રમાણે અધર્માસ્તિકાયનું સમજવું. આકાશાસ્તિકાયનો એક પ્રદેશ હોય, ત્યાં પણ એ મુજબ જ જાણવું; પરંતુ આકાશાસ્તિકામાં સર્વત્ર ધર્માદિ નથી; તેથી આકાશના પ્રદેશ આગળ કદાચ ધર્માદિને પ્રદેશ ન પણ હોય. જીવાસ્તિકાયના પ્રદેશ આગળ ધર્મ પ્રમાણે જ સમજવું; પરંતુ તેના પ્રદેશ આગળ જીવના પણ અનંત પ્રદેશ હોય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy