SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર મિશ્રિત પદાર્થ બનાવવો તે સોજનરૂપ ક્રિયા “સજનાધિકણક્રિયા' કહેવાય છે; અને તરવાર, બરછી વગેરે શની બનાવટ (નિર્વર્તન) તે “નિર્વાધિકરણક્રિયા કહેવાય છે. ૩. પ્રાષિકી ક્રિયાને બે પ્રકાર આ પ્રમાણે છે: પિતા ઉપર અને પિતા તથા બીજા ઉપર દ્વેષ દ્વારા કરેલી ક્રિયા કે દ્વેષરૂપ ક્રિયા તે “જીવપ્રાષિકી” ક્રિયા; અને અજીવ ઉપર દેશદ્વારા કરેલી ક્રિયા કે અવે ઉપર કરેલી ઠેષરૂપ ક્રિયા તે “અજીવપ્રાધેષિક' ક્રિયા. ૪-૫. પારિતાપનિક અને પ્રાણાતિપાત ક્રિયાના બે બે પ્રકારે તે, “સ્વહસ્ત' દ્વારા કરેલી કે “પરહસ્ત’ દ્વારા કરાવેલી, એ પ્રમાણે છે. મંડિત –હે ભગવન્! શ્રમણનિગ્રંથને ક્રિયા હોય ? મ0–હા મંડિતપુત્ર ! હેય. પ્રમાદને લીધે અને યોગ એટલે કે શરીરાદિની પ્રવૃત્તિને નિમિત્તે શ્રમણ નિર્ચને પણ ક્રિયા હોય છે. પ્રવે—હે ભગવન્! દેહધારી તેમ જ વ્યાપારયુક્ત જીવ હંમેશાં કંપવાની, જવાની, ચાલવાની, ક્ષોભ પામવાની, પ્રબળતાપૂર્વક પ્રેરવાની, ઊંચકવાની, સંકેચવાની, કે પ્રસારવાની વગેરે ક્રિયાઓ કર્યા કરે છે? ઉ૦–હા મંડિતપુત્ર ! જીવ હંમેશાં તે બધી ક્રિયાઓ કર્યા કરે છે. ૧. માત્ર શરીરના હલનચલનથી–માર્ગમાં હાલવા ચાલવાથી થતી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy