SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કિયા અને બંધ પ્ર – હે ભગવન ! જ્યાં સુધી જીવ હંમેશાં તે પ્રમાણે ક્રિયાઓ કર્યા કરે છે, ત્યાં સુધી તે મુક્ત થાય? ઉ૦–ના મંડિતપુત્ર ! એ વાત બરાબર નથી. સક્રિય જીવની મુક્તિ ન થાય. પ્ર—હે ભગવન ! તેનું શું કારણ ? ઉ૦ –હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવ ક્રિયા કર્યા કરે છે, ત્યાં સુધી તે અન્ય જીવોને ઉપદ્રવ (આરંભ) કર્યા કરે છે; તેમના નાશને સંકલ્પ (સંરંભ) કર્યા કરે છે, તેમને દુ:ખ ઉપજાવે છે (સમારંભ), તથા એ રીતે ઘણાં ભૂતપ્રાણને દુઃખ પમાડવામાં, શેક કરાવવામાં, ગુરાવવામાં, ટિપાવવામાં, પિટાવવામાં, ત્રાસ પમાડવામાં, અને પરિતાપ કરાવવામાં કારણભૂત થાય છે. હે મંડિતપુત્ર ! તે કારણથી કહ્યું છે કે, સક્રિય જીવની મુક્તિ સંભવતી નથી. પ્ર–હે ભગવન ! જીવ નિષ્ક્રિય હોઈ શકે ? ઉ–હા મંડિતપુત્ર! જીવ નિષ્ક્રિય હોઈ શકે. યોગ(પ્રવૃત્તિ) નિરોધ કરી, શુકલધ્યાનથી શૈલેશી (શૈલ જેવી નિશ્ચલ) દશા પ્રાપ્ત કરનાર છવ નિષ્ક્રિય હોય છે. તેવો જીવ આરંભાદિ ક્રિયાઓ ન કરતો હોવાથી તેવા જીવની મુક્તિ થાય છે. જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાખે તો તે તરત જ બળી જાય કે નહીં ? ૧. તે ધ્યાનના ચાર પ્રકારની વિગતે માટે જુઓ આ માળાનું “ગશાસ્ત્ર” પુસ્તક, પા. ૧૨૭. ૨. તેના વર્ણન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ પુસ્તક, પા. ૧૯૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy