SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને અધ ૩૫ -- - ભડિતપુત્ર - હે ભગવન્! ક્રિયા? કેટલા પ્રકારની છે? ૫૦ હે મંડિતપુત્ર ! ક્રિયાઓ પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણેઃ (૧) કાયિકી એટલે કે શરીરમાં કે શરીર દ્વારા થયેલી ક્રિયા. (ર) આધકરણુકી — જે દ્વારા આત્મા નરક વગેરે દુર્ગાતમાં જવાના અધિકારી થાય તે ‘ અધિકરણ ’ એટલે કે એક જાતનું અનુષ્ટાન; અથવા અધિકરણ એટલે હિંસાદિના સાધનરૂપ ચક્ર, તરવાર વગેરે બહારની વસ્તુ : તે અધિકરણમાં કે અધિકરણ દ્વારા થયેલી ક્રિયા, (૩) પ્રાદેષિકી— એટલે કે મત્સરરૂપ નિમિત્તને લઈને કે મત્સર દ્વારા થયેલી ક્રિયા; અથવા મત્સરરૂપ ક્રિયા (૪) પારિતાપનિકી એટલે કે પરતાપને લઈ ને, કે પરિતાપ દ્વારા થયેલી ક્રિયા, અથવા પરિતાપરૂપ ક્રિયા. અને (૫) પ્રાણાતિપાત ~~~ પ્રાણાને આત્માથી જુદા પાડવા તે પ્રાણાતિપાતઃ તેને લગતી ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ ક્રિયા, તે દરેકના પાછા એ પ્રકાર છે: ૧. કાયિકી ક્રિયાના બે પ્રકાર આ પ્રમાણે છે : અનુપરત– એટલે કે ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની ‘ અનુપરતકાયક્રિયા,’ અને વિરતિવાળા પણુ પ્રમાદથી દુષ્પ્રયુક્ત બનેલા પ્રાણીની ‘દુપ્રયુક્તકાય િક્રયા’. ૨. આધિકરણિકી ક્રિયાના એ પ્રકાર આ પ્રમાણે છે : વાદ માટે જાળ વગેરેના જુદા જુદા ભાગેાને જોડીને એક યંત્ર તૈયાર કરવું, કે કેાઈ પદાર્થીમાં ઝેર મેળવીને એક ૧. કના બંધ થવામાં કારણરૂપ ચેષ્ટા, આ પ્રશ્નોત્તર શતક ૮, ઉદ્દે૦ ૪ માં પણ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy