SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રશાનિસાર ખૂણામાં આવેલા ધર્માસ્તિકાયને એક ઉપર અને બે બાજુના એમ ત્રણ જ ધર્માસ્તિકાયના પ્રદેશોની સ્પર્શના હેય. જ્યારે તે ખૂણે ન હોય, ત્યારે ચાર દિશાના ચાર, એક ઉપર અને એક નીચેનો મળીને કુલ છ થાય). ગ –હે ભગવન ! તે કેટલા અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શયેલો હોય ? મહ–હે ગૌતમ ! એાછામાં ઓછા ચાર, અને વધારેમાં વધારે સાત.૧ ગૌ–ભગવન્! તે કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્ધાયેલો હોય ? મહ–હે ગૌતમ! સાત. (લોકાતે પણ આકાશ હોવાથી તેને “ઓછામાં ઓછું” એ વિકલ્પ સંભવતો નથી). ગૌ–હે ભગવન! તે કેટલા જીવાસ્તિકાયના પ્રદેશ વડે સ્પેશયેલો હોય ? મહ–હે ગૌતમ! અનંત પ્રદેશો વડે. (કારણકે તે એક જ ઠેકાણે અનંત જીવોના પ્રદેશે આવી રહેલા હોય છે.) ગૌ – હે ભગવન્! તે કેટલા પુલાસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શાયેલો હોય ? મવહે ગૌતમ ! અનંત પ્રદેશ વડે. ગૌ–હે ભગવન્ ! તે કેટલા કાલ (અદ્ધા)ના સમયે વડે સ્પર્શાયેલો હોય ? ૧. કારણકે ધર્માતિકાચના પ્રદેશોની પેઠે ત્રણ અને છે તે ખરા જ; ઉપરાંત જ્યાં ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં અધર્માસ્તિકાયનો પણ છે. તેથી એક વચ્ચે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy