SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શામજી-૨ ગૌ–હે ભગવન! જીવાસ્તિકાય કેટલાં રૂપગ ધાદિવાળો છે ? માહે ગૌતમ ! જીવાસ્તિકાય પણ અરૂપી હાઈ રૂપગંધાદિ વિનાને છે. દ્રવ્યથી તે અનંત વ્યરૂપ છે; ક્ષેત્રથી તે લોક જેવડે છે; કાળથી તે નિત્ય છે; ભાવથી રંગગંધાદિ વિનાને તથા ગુણથી બોધવ્યાપારરૂપ ઉપયોગગુણવાળે છે. ગૌત્ર –હે ભગવન ! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ અંધાદિ છે ? ભ–હે ગૌતમ! તે પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ, અને આઠ સ્પર્શવાળો છેમૂર્ત છે, અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. દ્રવ્યથી તે અનંત દ્રવ્યરૂ૫ છે; ક્ષેત્રથી લોક જેવડો છે; કાળથી નિત્ય છે; ભાવથી રંગઅંધાદિવાળે છે, અને ગુણથી તે (પરસ્પર સંબંધરૂપ ) ગ્રહણગુણવાળો છે.' ગર- હે ભગવન ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ તે ધર્માસ્તિકાય એમ કહેવાય ? મ–ના ગૌતમ ! એ પ્રમાણે બે ત્રણ કે અસંખ્યય પ્રદેશો પણ ન કહેવાય; જ્યાં સુધી ધર્માસ્તિકાયને એક પ્રદેશ પણ ઊણો છે ત્યાં સુધી તેને ધર્માસ્તિકાય ન કહેવાય. કારણ કે, ચક્રને ભાગ તે ચક્ર ન કહેવાય; તે આખું હોય ૧. કારણ કે દારિકાદિ અનેક પુગલો સાથે જીવને સંબંધ છે, અથવા પ્રાણધારી જીવ દારિકાદિ અનેક જાતનાં પુદ્ગલેનું ગ્રહણ કર્યા કરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy