SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ સર શ્રીભગવતી-સાર અનંત પરિમાણુ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સ'ચાર કરશે; તેથી તે એવી પૃથક્ થઈ જશે કે જેથી એમનું ફરીથી મળવું અને નિયત સૃષ્ટિ રૂપે નજરે આવી પડવું એ અસંભવિત તા નહીં, તે। કિંન તા જરૂર થશે. આ કારણથી ઉપરનાં ગતિશીલ બ્યાની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વના સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્ત્વ ધસ્તિકાય કહેવાય. એ or દલીલથી એ રીતે સ્થિતિમૌંદાના નિયામકપે અધર્માસ્તિકાય તત્ત્વના સ્વીકાર થાય છે. એ ધર્મ આદિ દ્રવ્યે। સમગ્ર આકાશમાં નથી રહેતાં, પણ આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે, તેટલે ભાગ લેાક – લેાકાકાશ કહેવાય છે. આ ભાગની મહાર આસપાસ ચારે તરફ જે અનંત આકાશ વિદ્યમાન છે, તે અલેકાકાશ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, અર્થાત્ તે પાતપેાતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ ચુત થતાં નથી; તે પાંચે સ્થિર પણ છે એટલે કે તેમની સખ્યામાં ક્યારેય એછાવત્તાપણું થતું નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ એ ચાર અરૂપી છે; પુદ્ગલ રૂપી ( મૂર્ત) છે. વળી ધર્મ, અધર્મ અને આકાશ એક એક વ્યક્તિરૂપ છે. એમની મે અથવા મેથી અધિક વ્યક્તિએ નથી હેાતી, એ જ રીતે તે ત્રણે નિષ્ક્રિય પણ છે. ‘કાય’ એટલે સમૂહ, એ ઉપરથી એવું સૂચિત કર્યું` છે કે તે પાંચે પ્રદેશસમૂહુરૂપ છે. પ્રદેશ એટલે એવા સૂક્ષ્મ અંશ કે જેના બીજા અશાની કલ્પના સર્વજ્ઞની બુદ્ધિથી પણ ન થઈ શકે. ધર્મ અને અધર્મ અને એક એક વ્યક્તિરૂપ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy