SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાગવતી-સાર મનનો; તેનાથી અનેકગણો વચનનોં; અને તેનાથી અનંતગણું વૈક્રિય છે.૩ – શતક ૧૨, ઉદે. ૪ ગૌ૦–હે ભગવન ! પરમાણુ શાશ્વત છે કે અશાશ્વત? મહ–હે ગૌતમ! દ્રવ્યાર્થરૂપે તે શાશ્વત છે, અને વણદિ પર્યાયવડે તે અશાશ્વત છે. ગૌ૦–હે ભગવન!•પરમાણુ ચરમ છે કે અચરમ છે? મહ–હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી; પણ અચરમ છે; ક્ષેત્રની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. કાલની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, અને કદાચ અચરમ છે; તથા ભાવની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત્ અચરમ છે. – શતક ૧૪, ઉદે૪ [ વિવરણ: જે પરમાણુ વિવક્ષિત પરિણામથી રહિત થઈને પુનઃ તે પરિણામને પામશે નહીં, તે પરમાણુ તે પરિણામની અપેક્ષાએ ચરમ કહેવાય છે, અને જે પરમાણુ પુનઃ તે પ@િામ પામશે, તે અપેક્ષાએ તે અચરમ છે. દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ ચરમ નથી; કારણ કે સ્કંધ બનવા છતાં તે ફરી પરમાણુ બનશે; ક્ષેત્ર સામાન્યની દૃષ્ટિએ તો તે અચરમ છે, કારણ કે પરમાણુ ફરીથી ત્યાં આવશે, ૧. એકેદ્રિયદિ કાયમાં તેનું ગ્રહણ ન હોવાથી. ૨. મોદ્રવ્યથી ભાષાદ્રવ્ય અતિસ્થલ હેવાથી એક સાથે ડાં જ લેવાય છે તેથી. ૩. વૈક્રિય શરીર બહુ કાલે પ્રાપ્ત થતું હોવાથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy