________________
યુગલ
૫૧૨
૧૪ ગૌ૦–હે ભગવન્! સકંપ પરમાણુપુદ્ગલ પોતાની કંપાયમાન અવસ્થાથી બંધ પડી, પાછો કેટલે કાળે કંપે? .
મ-હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ (એટલે કે પરમાણુરૂપે જ રહે ત્યારે ) ઓછામાં ઓછો એક સમય, અને વધારેમાં વધારે અસંખ્ય કાળનું અંતર હોય; પરંતુ પરસ્થાનની અપેક્ષાએ (એટલે કે તે જ્યારે દિપ્રદેશાદિક કંધની અંતર્ગત હોય ત્યારે ) ઓછામાં ઓછું એક સમયનું અંતર હોય; (પણ જ્યારે તે અસંખ્યાત કાળ પર્યત દિપ્રદેશાદિક કંધરૂપે રહી, પુનઃ તેમાંથી જુદો પડીને કપ, ત્યારે) વધારેમાં વધારે અસંખ્યાતકાળનું હાય.
એ પ્રમાણે નિષ્કપ પરમાણુપુગલ કંપીને પાછા નિષ્કપ થાય તેનું અંતર સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં એ છે એક સમય, અને વધારેમાં વધારે આવલિકાનો અસંખ્ય ભાગ હોય. પરંતુ પરસ્થાનની અપેક્ષાએ (એટલે કે નિશ્ચલ થઈ પોતાના સ્થાનથી ચલિત થાય અને ઓછામાં ઓછો એક સમય દિપ્રદેશાદિ સ્કંધરૂપે રહીને પુનઃ નિશ્ચલ થાય ત્યારે, ઓછામાં ઓછા એક સમય, અને વધારેમાં વધારે (એટલે કે, જ્યારે અસંખ્યાતકાળ સુધી દિપ્રદેશાદિ સ્કંધરૂપે રહી, તેથી જુદો થઈને સ્થિર થાય ત્યારે) અસંખ્યકાળનું અંતર હોય.
તે જ પ્રમાણે સકંપ બે પ્રદેશવાળા સ્કંધને સ્વસ્થાનની અપેક્ષાએ ઓછામાં ઓછો એક સમય, અને વધારેમાં વધારે અસંખ્યાતકાળ; અને પરસ્થાનની અપેક્ષાએ ઓછામાં એ છે એક સમય અને વધારેમાં વધારે (એટલે કે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org