________________
શ્રીભગવતી-સાર મહ–હે ગૌતમ! તે બધાથી રહિત છે. પણ બેકી સંખ્યાવાળા – બે, ચાર, છ, આઠ ઇત્યાદિ સંખ્યાવાળા – પ્રદેશયુક્ત સ્કંધ, અર્ધસહિત કહેવાય. પરંતુ વિષમસંખ્યાવાળા – એકી સંખ્યાવાળા – ત્રણ, પાંચ, સાત ઇત્યાદિ સંખ્યાવાળા – પ્રદેશયુક્ત સ્કંધ સમધ્ય – મધ્યભાગ સહિત કહેવાય.
ગૌ૦-હે ભગવન્ ! પરમાણુને સ્પર્શ કરતો પરમાણુ (૧) એક ભાગ વડે એક ભાગનો સ્પર્શ કરે ? (૨) એક ભાગ વડે ઘણે ભાગને સ્પર્શ કરે, (૩) એક ભાગ વડે સર્વનો સ્પર્શ કરે, (૪) ઘણા ભાગે દ્વારા એક દેશને સ્પર્શ, (૫) ઘણા દેશે દ્વારા ઘણા દેશને સ્પર્શ, (૬) ઘણા દેશો દ્વારા સર્વને સ્પર્શ, (૭) સર્વ વડે એક ભાગને સ્પર્શ, (૮) સર્વ વડે ઘણે ભાગોને સ્પર્શ, (૯) કે સર્વ વડે સર્વને સ્પશે ?
મહ–હે ગૌતમ ! સર્વ વડે સર્વને સ્પર્શે. કારણ કે પરમાણુ ભાગરહિત છે, તેથી બાકીના વિકલ્પને તેમાં સંભવ નથી.
એ પ્રમાણે બે પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુ સાતમા અને નવમા વિકલ્પ વડે સ્પશે, એટલે કે સર્વ વડે એક ભાગને સ્પર્શ, કે સર્વ વડે સર્વને સ્પર્શ ૧
૧. બે પરમાણુ ભેગા થઈને કાંતે આકાશના બે પ્રદેશને રાકે, અથવા એક પ્રદેશને પણ રોકે. પરમાણુમાં એવી એક પ્રકારની યોગ્યતા છે કે, અનેક પરમાણુઓ પણું કેઈ વાર એક દેશમાં જ સ્થિત હોય. એ પ્રમાણે જ્યારે બે પરમાણુ એક જ પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે પેલો પરમાણુ તેને સર્વ વડે સર્વને સ્પર્શે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org