SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાનીસ્તાર માપવાળા સ્થાનમાં પુદ્ગલોનું જે અવગાહિપણું અર્થાત રહેવાપણું તે અવગાહનાસ્થાનાયું છે. ક્ષેત્રાયુ કરતાં અવગાહનાયુ વધારે હોવાનું કારણ એ છે કે, પુદ્ગલ એક ક્ષેત્રમાં નિયત ત્યારે જ રહી શકે, જ્યારે પુદ્ગલની કોઈ પણ અમુક જાતની અવગાહના હોય, અને પિતે તદન નિષ્ક્રિય હોય; પણ અવગાહને કાંઈ ક્ષેત્રમાત્રમાં નિયત નથી; તે ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રમાં અવગાહના તે ને તે જ રહે છે; તેથી ક્ષેત્રકાળ કરતાં અવગાહનકાળ વધારે છે. તે કરતાં અસંખ્યગણું વ્યસ્થાનાયું છે. કારણ કે, સંકેચ અથવા વિકાસથી અવગાહના નાશ પામી જાય, પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યનું લાંબા કાળ સુધી અવસ્થાન રહે છે. તેથી વધારે ભાવસ્થાનાય છે. દ્રવ્ય ભાગી જાય કે તેને ખંડ થઈ જાય, તો પણ તેના શુકલાદિ ગુણો તો કાયમ રહે. છે; માટે વ્યસ્થાનાયુ કરતાં ભાવસ્થાનાયુ વધારે હોય છે. –શતક ૫, ઉદ્દે 19. ગૌ–હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ કહ્યા છે? ભ૦–હે ગૌતમ! અનંત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. ૧. ક્ષેત્ર અને અવગાહનામાં ફેર એ છે કે, પુદ્ગલથી વ્યાપ્ત હોય તે ક્ષેત્ર કહેવાય; અને પુદ્ગલનો પોતાના આધારસ્થળ: સમાને જે એક પ્રકારને આકાર તે અવગાહના. અમુક ખાસ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં પણ પુદ્ગલનું તે ક્ષેત્રના માપ પ્રમાણે રહેવું તે અવગાહના. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy