SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મો વિશે કેટલીક વિગતો મ-– હે ગૌતમ! આયુષને બંધ છ પ્રકારનો કહ્યો છે. તે જેમકે : જાતિનામનિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અને અનુભાગનામનિધત્તાયુ. વિવરણ: અહીં જાતિ એટલે એકૅકિયાદિ પાંચ પ્રકારની જાતિ; તે ૩૫ જે નામકર્મ તે જાતિનામ કહેવાય તેની સાથે નિધત્ત – નિષિક્ત – નિષેકને પ્રાપ્ત થયેલું -- એટલે અનુભવવા માટે તૈયાર થયેલું જે આયુષકર્મ તે જાતિનામનિધત્તાયુ કહેવાય. તે પ્રમાણે ગતિ એટલે નૈિરયિકાદિ ચાર પ્રકારની ગતિ; અને અવગાહના એટલે દારિક વગેરે શરીર. એ જ જાતિ, ગતિ અને અવગાહનાની સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ (વિપાક) તે બાકીના ત્રણ તાત્પર્ય એ છે કે, નારકાદિ આયુષનો ઉદય થાય ત્યારે જ જાતિ વગેરે નામકર્મોને ઉદય થાય છે; એકલું આયુષકર્મ જ નરયિકાદિના ભવનું ઉપગ્રાહક હોય છે. – શતક ૬, ઉદ્દે ૮ હે ભગવન ! દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, અને ભાવસ્થાનાયુ, એ બધામાંથી કયું કાનાથી અધિક છે ? ભ૦–સૌથી થોડું ક્ષેત્રસ્થાનાય છે. ક્ષેત્રાયુ એટલે એક પ્રદેશાદિ ક્ષેત્રમાં પુદ્ગલેનું જે અવસ્થાન, તપ જે આયુ તે ક્ષેત્રાયુ. ક્ષેત્ર અમૂર્તિમાન હોવાથી અને તેથી જ તેની સાથે પુદ્ગલેના બંધનું કારણ (ચીકાશ) ન હોવાથી પુદ્ગલેનો ક્ષેત્રાવસ્થાનકાળ કાળ થડે છે. તે કરતા અસંખ્યગણું અવગાહના સ્થાનાયુ છે. અવગાહના સ્થાનાયુ એટલે કે અમુક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy