SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર ગૌ–હે ભગવન ! જેને નામકર્મ છે, તેને શું ગોત્રકર્મ હોય, અને તેને ગોત્રકર્મ છે, તેને નામકર્મ હોય ? મહ—હે ગૌતમ! તે બંને પરસ્પર અવશ્ય હેય. ગૌ–હે ભગવન ! જેને નામકર્મ છે, તેને અંતરાયકર્મ હોય, અને જેને અંતરાયકર્મ છે તેને શું નામકર્મ હોય ? મહ–હે ગૌતમ ! જેને નામર્મ છે, તેને અંતરાયકર્મ કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય નામકર્મ હોય. ગૌ હે ભગવન ! જેને ગોત્રકર્મ છે, તેને શું અંતરાયકર્મ હોય ? મહ–હે ગૌતમ ' જેને ગોત્રકર્મ છે, તેને અંતરાયકર્મ કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય ગોત્રકર્મ હોય. –– શતક ૮, ઉદ્દે ૧૦ ગૌ૦––હે ભગવન ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતો જીવ કેટલી કર્મપ્રકૃતિએને બાંધે ? ભ૦––હે ગૌતમ ! જ્યારે આયુષ્યનો બંધકાળ ન હોય. ત્યારે સાત પ્રકારે કર્મ બાંધે છે; આયુષ્યના બંધકાળમાં આઠ પ્રકારે બાંધે છે; દશમા ગુણસ્થાન વખતે મોહનીય ૧. તે કર્મ જીવનના અંતિમ ભાગમાં જ બંઘાય છે તેથી. ૨. સૂક્ષ્મસં૫રાય – જે દશામાં મેહનીય કર્મનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય, અને તે પણ બહુ સૂક્ષ્મ પ્રમાણમાં, તે દશા સૂમસંપરાય ગુણસ્થાનક કહેવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy