SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ જ૧૨ શ્રીભગવતી સા૨ લોકમાં જે ભાગમાં ત્રસ જ રહે છે, તે ભાગને ત્રસનાડી કહે છે. ત્રસનાડીની બહાર સ્થાવરનાડી છે. તેમાં કેવળ સ્થાવર જીવ જ હોય છે. ત્રસનાડીમાં ત્રણ સમયવાળી બે વાંકની વિગ્રહગતિ જ હોઈ શકે; ત્રણ અને ચાર વાંકવાળી વિગ્રહગતિ સ્થાવર નાડીમાંથી ત્રસ નાડીમાં થઈને સ્થાવર નાડીમાં ઉત્પન્ન થનાર છવને જ હોય. ગળ––હે ભગવન્! છ વિગ્રહ (વાંકવાળી) ગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? મ– ગૌતમ! જે વિગ્રહગતિને પ્રાપ્ત છે, અને અવિગ્રહગતિને પણ પ્રાપ્ત છે. ગૌત્ર –હે ભગવન ! શું નરયિકે વિગ્રહગતિને પ્રાપ્ત છે કે અવિગ્રહગતિને પ્રાપ્ત છે ? મ–હે ગૌતમ ! તે બધાય અવિગ્રહગતિને પ્રાપ્ત છે; અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત છે; અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અને ઘણું વિગ્રહગતિને પ્રાપ્ત છે. એ પ્રમાણે અન્ય ગતિના જીવોનું પણ જાણવું. માત્ર સામાન્ય છે અને એકેંદ્રિય જીવોની બાબતમાં વિગ્રહગતિવાળા પણ ઘણું હોય છે અને વિગ્રહગતિ વિનાના પણ ઘણા હોય છે, એમ જાણવું. –શતક ૧, ઉદ્દે ૭ ૧, અહીં આ શબ્દને અર્થ માત્ર “સીધીગતિવાળા” એમ ન કરો, પણ “સીધી ગતિવાળો કે ગતિવિનાને ” એવો -ડર, – ટીકા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy