SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર આ વાત સાંભળી તથા તેને અંગીકાર કરી, પિલા શ્રમણનિર્ચ માકંદિપુત્ર પાસે આવ્યા અને તેમને વંદન કરી તેમની ક્ષમા માગવા લાગ્યા. – શતક ૧૮, ઉ. ૩ ૮: જીવનાં મરણ, જન્મ અને મોક્ષ મરણ ગૌતમ–હે ભગવન ! મરણ કેટલા પ્રકારનું છે? ભ૦-–હે ગૌતમ! પાંચ પ્રકારનું છે; ૧. આવી ચિમરણ – એટલે વીચિ – તરંગની પેઠે પ્રતિસમય આયુષને ક્ષય થત જો તે. ૨. અવધિમરણ – એટલે કે એક વાર એક ગતિનું આયુષ ભોગવી, મરણ પામી, ફરી તે જ ગતિનું આયુષ ભવિષ્યમાં બાંધી, તથા ભોગવીને મરણ પામવું તે. ૩. આત્યંતિકમરણ એટલે કે પિતાની નરક આદિ ગતિના આયુષનો ક્ષય થતાં ફરી તેવું જ આયુષ્ય ભવિષ્યમાં ન બાંધે તે રીતે મરણ પામવું તે. ૪. બાલમરણ – એટલે કે અવિરતિવાળા પુરુષનું ભરણ ૫. અને પંડિતમરણ - એટલે કે સર્વવિરતિવાળા પુરુષનું મરણ. ગૌ–હે ભગવન્! આવીચિમરણ આવી ચિમરણ શા માટે કહેવાય છે? મહ–હે ગૌતમ ! નરકગતિમાં વર્તતા જીવે જે નિરયિક આયુષકર્મ બાંધ્યું છે, તે કર્મના અણુઓને તે આવીચિક – એટલે કે નિરંતર–પ્રતિસમય મરે છે–છોડે છે -માટે તે આવીચિક મરણ કહેવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy