SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અને લેણ્યા ૪૭ ભા–હે ભગવન! કાપતલેશ્યાવાળા અકાયિક ત્યાંથી મરીને તુરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય ? મ–હા માકંદિપુત્ર ! મા – હે ભગવન્ ! કપિલેશ્યાવાળો વનસ્પતિકાયિક જીવ ત્યાંથી મરીને તુરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરે અને ત્યારબાદ સિદ્ધ થાય ? મહ–હા માકદિપુત્ર! મા –હે ભગવન્! તે એમ જ છે; હે ભગવન્! તે એમ જ છે. એમ કહી, માકંદિપુત્ર મહાવીરને વંદન કરીને જ્યાં શ્રમણનિગ્ન હતા ત્યાં આવીને તે મુજબનું કહેવા લાગ્યા. આ વાત તે શ્રમણનિગ્રાએ માન્ય ન કરી અને તેઓ ભગવાન મહાવીર પાસે આવી, તેમને વંદન કરી, તે બાબત પૂછવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું, “હે આર્યો ! ભાકદિપુત્રે તમને જે કહ્યું છે, કે “કાપેલેસ્ટાવાળા પૃથ્વીકાયિક, અકાયિક, અને વનસ્પતિકાયિક ત્યાંથી ભરીને તરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ સિદ્ધ થાય છે” તે વાત સત્ય છે. હે આર્યો ! હું પણ એ જ કહું છું કે, કૃષ્ણ, નીલ અને કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક અપકાયિક, અને વનસ્પતિકાયિકે એ પ્રમાણે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે.” * તેજ અને વાયુછ તરત જ મનુષ્યત્વ ન પામી શક્તા હોવાથી તેમને ઉલેખ નથી. – ટીકા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy