SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રીભગવતી-સાર ગિરિજી જણાવે છે કે, લેસ્યાનાં અણુઓને કાયિક, વાચિક અને માનસિક અણુઓમાં સમાવેશ થાય છે. જેમ દધિજન નિદ્રાને, અને પિત્તવૃદ્ધિ કે પ્રકોપને ઉત્તેજે છે, તેમ એ લેસ્યાનાં અણુઓ ઉભૂત થયેલા કષાયને ઉત્તેજે છે. જ્યાં સુધી આપણામાં જરા પણ કાપાયિક વૃતિ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને લેફ્સાનાં અણુઓ ટેકે આપે છે. અને એ વૃત્તિનો સમૂળ નાશ થયે એ આ અકિંચિત્કાર થાય. છે. એમનું કામ અસત કપાયને પેદા કરવાનું નથી.” રાજગૃહ નગરનો પ્રસંગ છે. ગૌ૦–હે ભગવન ! લેસ્યાઓ કેટલી કહી છે ? મહ–હે ગૌતમ! લેસ્યાઓ છે કહી છે: કૃષ્ણ, નીલ, કાપિત, તૈજસ, પદ્મ અને શુકલ. [તેમાંની પ્રથમ ત્રણ અધર્મ સ્થાઓ છે; અને પછીની ત્રણ ધર્મ લેસ્યાઓ છે. અધર્મસ્યાથી છવ દુર્ગતિ પામે છે, અને ધર્મસ્યાથી સુગતિ પામે છે. હિંસાદિ પાંચ મહાપાપયુક્ત, મન-વાણી-કાયાનું સંરક્ષણ. ન કરનારે, પૃથ્વી–પાણુ વગેરે છે જીવવર્ગોમાં અવિરત, ઉત્કટ દોષપ્રવૃત્તિઓમાં મચેલો રહેતો, ક્ષુક, સાહસિક, આ લોક અને પરલોકની કશાની પરવા ન કરનારો, નૃશંસ અને અજિતેંદ્રિય માણસ કૃષ્ણ લેસ્યાવાળો હોય છે. ઈર્ષા, અમર્ષ, તપનો અભાવ, અવિદ્યા, માયા, નિર્લજતા, વિષયલંપટતા, અને પ્રષથી યુક્ત; શઠ, પ્રમત્ત, રસલોલુપ, ઈદ્રિયસુખાભિલાષી, વિવિધ પાપપ્રવૃતિઓમાંથી • ઉત્તરાધ્યાન. અ. ૩૪, શ્લો. ર૧-૩૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy