SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક બાબતો ૩૮૯ પૃથ્વીકાયિકો પણ ત્રણે વેદના અનુભવે છે. તે પ્રમાણે મનુષ્ય સુધી જાણવું. ગૌ–હે ભગવન ! વેદના કેટલા પ્રકારની છે ? મહ–હે ગૌતમ! વેદના ચાર પ્રકારની છે : દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. [ પુગલ દ્રવ્યના સંબંધની અપેક્ષાએ દ્રવ્યવેદના; નારકાદિ ઉ૫પાતક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રવેદના: નારકાદિ ભવકાલની અપેક્ષાએ કાલવેદના; અને વેદનીયકર્મના ઉદયથી થતા ઉત્પાદની અપેક્ષાએ ભાવદના.] આ ચારે વેદના નૈરયિકથી માંડીને બધાને હોય છે. ગૌ૦–હે ભગવન! વેદના કેટલા પ્રકારની છે? મ–હે ગતમ! વેદના ત્રણ પ્રકારની છે. શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક. આ વેદનાઓ પણ બધાને હોય છે, પરંતુ તેમાં વિશેષ એ કે, એકેપ્રિય અને વિકદિય જીવો માત્ર શારીરિક વેદના જ અનુભવે છે; કારણ કે તેમને મનને અભાવ છે. ગૌ –હે ભગવન! વેદના કેટલા પ્રકારની છે? ભ૦–હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની છે: (સુખરૂપ) સાતા, ( દુ:ખરૂપ ) અસાતા અને સાતા-અસાતા. બધા -જીવોને ત્રણે વેદનાઓ હોય છે. ૧. નરયિકમાં તે અસાતવેદના જ હોય છે; પરંતુ તીર્થકરના જન્માદિકાલે તેમને સાતા વેદના માની છે; ઉપરાંત પૂર્વજ મને સંબંધી દેવ વા અસુર વચનામૃતેથી તેને સિંચે છે, ત્યારે મનમાં તે સાતવેદના અનુભવે છે, અને શરીરે તે ક્ષેત્રના પ્રભાવથી અસાતવેદના અનુભવે છે; ઉપરાંત તે દેવાદિના દર્શનથી અને તેના વચનશ્રવણથી મનમાં તે સાતા વેદના પણ અનુભવે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy