SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવત-સાર ગૌ––હે ભગવની વેદના કેટલા પ્રકારની છે? મ–હે ગૌતમ! વેદના ત્રણ પ્રકારની છે : દુઃખરૂપ. સુખરૂપ અને અદુઃખ-અસુખરૂપ. તે પણ બધા જીવોને છે. ગૌ૦–હે ભગવન્ ! વેદના કેટલા પ્રકારની છે ? મ–હે ગૌતમ! વેદના બે પ્રકારની છે : આભુપગમિક (પોતે જાણીને સ્વીકારેલી : જેમકે સાધુઓ વાળ ટૂંપાવે તે) અને ઔપક્રમિકી (પિતાનાં વેદનીય કર્મના ફળ રૂપે પ્રાપ્ત થતી.) તેમાં પંચેકિય તિર્યો અને મનુષ્યોને બંને વેદનાઓ હોય છે. બાકીના ઔપક્રમિકી. જ અનુભવે છે. ગૌ૦–હે ભગવન્! વેદના કેટલા પ્રકારની છે ? મહ–હે ગૌતમ! વેદના બે પ્રકારની છે : નિદા (સમ્યમ્ વિવેકવાળી ) અને અનિદા (સભ્ય વિવેક વિનાની.) નરયિકે બે પ્રકારના છે : સંજ્ઞી અને અસંજ્ઞી. તેમાં. સંસી નૈરયિકાને તે પૂર્વનું બધું સ્મરણ હોય છે, તેથી તેઓ છે અને પશ્ચાત્તાપના અનુભવથી અસાતા પણ અનુભવે છે; એમ સાતા-અસાતા વેદના પણ અનુભવે છે. દેવે સામાન્ય રીતે સાતા-વેદનાવાળા છે; પરંતુ વનકાળે અસાતા વેદનાવાળા છે; અને પોતાના વિભવનું સુખ ભોગવતી વખતે અન્યની વિભૂતિ દેખી સાતા-અસાતા વેદના અનુભવે છે. ૧. પૂર્વે જણાવેલ સાતા-અસાતામાં અને આમાં ફેર એટલો છે કે, કર્મના ઉદયને લીધે જે દુઃખ સુખ પ્રાપ્ત થાય તે સાતા-અસાતા કહેવાય; અને જે સુખદુઃખ બીજા વડે કરાયાં હોય તે સુખ-દુઃખ કહેવાય. ૨. કારણ કે તેઓ કમને ક્ષય કરવા આભુપગમિકીવાળા પણ હોય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy