SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૭૯ આયંબિલ કરે છે. આ પ્રમાણે છ માસ સુધી તપ કર્યા બાદ તપ કરનારાઓ સેવા કરે છે, અને સેવા કરનારા છે માસ તપ કરે છે. ત્યાર પછી ગુરુ એ પ્રમાણે છ માસ તપ કરે છે; બાકીનાઓમાંથી એક ગુરુ થાય છે, અને બીજા બધા સેવા કરે છે. એ પ્રમાણે ૧૮ માસ પૂરા થયા બાદ તેઓ ગ૭માં પાછા આવે છે, કે જિનકલ્પનો સ્વીકાર કરે છે.. પરિહારવિશુદ્ધિ ચારિત્ર તીર્થકર કે કેવલજ્ઞાની પાસેથી જ લઈ શકાય છે, કે જેણે તીર્થકર કે કેવલજ્ઞાની પાસે પૂર્વે લીધું હોય તેની પાસેથી લઈ શકાય છે. ૪. સુક્ષ્મસંપરાય :જેમાં માત્ર સૂક્ષ્મ કષાય અને તે પણ લેભાશને ઉદય હાથ છે તે સૂક્ષ્મપરાય. તેના બે પ્રકાર છે: વિશુધ્યમાનક અને સંલિસ્યમાનક. તેમાં વિશુધ્યમાનક, ક્ષપકશ્રેણી અને ઉપશમ-- શ્રેણએ ચડનારને હોય છે, અને સંકિલશ્યમાનક ઉપશમશ્રેણીથી પડનારને હોય છે. ૫. યાખ્યાતઃ સર્વથા કષાયદયને અભાવ જે ચારિત્રને વિષે હોય છે. તેના બે પ્રકાર છે: ઉપશમક – કપાયે ઉપશમ જેમાં હોય તે અને ક્ષપક એટલે કક્ષાનો ક્ષય જેમાં હોય તે. ચારિત્રાચારિત્ર લબ્ધિ એક જ પ્રકારની છે. વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની છે: ૧ જેથી બાલ – સંયમરહિત અજ્ઞાની – ની અસંયમ– અજ્ઞાન – પૂર્વક કષ્ટદાયક અનુષ્ટામાં પ્રવૃત્તિ થાય, તે બાલવીર્યલબ્ધિ ૨. જેથી સંયમને વિષે પ્રવૃત્તિ થાય તે પંડિતવીર્યલબ્ધિ ૩. અને જેથી દેશવિરતિમાં પ્રવૃત્તિ થાય તે બાલપંડિતવીર્યલબ્ધિ.. ૧. જિનકલ્પ એટલે કે જિનને અતિ કઠોર આચાર. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy