SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ શ્રીભગવતી-સાર પરિણમિક ભાવ કહેવાય. ૬. સાંનિપાતિક ભાવ એટલે અનેક ભાવના સંમેલનથી થતો ભાવ. દર્શનમોહનીય કર્મના ઉપશમથી સમ્યક્ત્વ પ્રગટ થાય. છે; માટે સમ્યક્ત્વ એ ઔપથમિક ભાવ છે. કવલજ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે કેવલજ્ઞાન એ ક્ષાયિક ભાવ છે. મતિજ્ઞાનાવરણના ક્ષપશમથી મતિજ્ઞાન પ્રગટ થાય છે, માટે મતિજ્ઞાન એ ક્ષાપશમિક ભાવ છે. દેવગતિ નામકર્મના ઉદયનું ફળ દેવગતિ છે, માટે તે ઔદયિક ભાવ છે. જીવત્વ – ચૈતન્ય; ભવત્વ-મુક્તિની યોગ્યતા; અને અભવત્વ – મુક્તિની અગ્યતા એ ત્રણ ભાવો સ્વાભાવિક છે, અર્થાત તે કર્મના ઉદયથી કે ઉપશમથી કે ક્ષયથી કે ક્ષમશમથી પેદા નથી થતા; પરંતુ અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે, તેથી તે પરિણામિક છે. ગૌ –હે ભગવન્! ઔદયિક ભાવ કેટલા પ્રકાર છે? મા–હે ગૌતમ! ઔદયિક ભાવ બે પ્રકારે કહ્યું છે : ઔદયિક અને ઉદયનિષ્પન્ન. આઠ કર્મપ્રકૃતિને ઉદય તે ઔદયિક. ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે : જીવદયનિષ્પન્ન અને અજીવોદયનિષ્પન્ન. કર્મના ઉદયથી જીવમાં નિષ્પન્ન થયેલા નારકતિર્યંચ આદિ પર્યાયે જીવદયનિષ્પન્ન કહેવાય છે. અને કર્મના ઉદયથી અજીવને વિષે થયેલા પયયો, જેમકે, ઔદારિકાદિ શરીર, (ઔદારિક શરીરનામકર્મના ઉદયથી પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ અજીવને વિષે નિષ્પન્ન હોવાથી,) અજીવદયનિપન્ન છે. * –શતક ૧૭, ઉદેવ * વધુ માટે જુઓ અનુયાગદ્વાર સૂત્ર પ. ૧૧૩–૧૨૭. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy