SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક બાબતે ૩૦૩ પામ્યા કરે, એ પરિણામ – નિત્યતા. એથી જ જનદર્શન જ્ઞાન, સુખ, દુઃખ આદિ પર્યાય આત્માના જ માને છે. આત્માના બધા પર્યાય એક જ અવસ્થાવાળા નથી હોતા. કેટલાક પર્યાયે કોઈ એક અવસ્થામાં તો બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્ન ભિન્ન અવસ્થાએ ભાવ કહેવાય છે. આત્માના પર્યાય અધિકમાં અધિક છ ભાવવાળા હોઈ શકે છે. ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ પથમિક કહેવાય છે. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરે નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે રસત્તાગત કર્મનો ઉદય તદ્દન રોકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મને ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કર્મને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩. ક્ષય અને ઉપશમથી પેદા થાય એ ક્ષાપશમિક ભાવ છે. ક્ષયપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. એ વિશુદ્ધિ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે દયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મના વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક ભાવ દ્રવ્યનો એક પરિણામ છે, જે ફક્ત દ્રવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે, અર્થાત્ કઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy